SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख સગોત્ર અને વાજિ માધ્યન્દિન સબ્રહ્મચારી, અને હું તેના પિતાના મૃત્યુ પછી ) શ્રી વિન્ડરાજ તરફથી રાજ જોશીને શબ્દ પ્રાપ્ત કરનાર, યોગને, કાશવંડ વિષયમાં, પસિલાવિલિ ગામ જેની સીમા–પૂર્વે વેહિ નદી અને વેરીવિદ્રક ગામ; દક્ષિણે-ચતુઃસરી ગામ; પશ્ચિમે-તસિલાવલિ ગામઃ ઉત્તર-વિહુચવલિ ગામ. આ ગામ તેની ચાર સીમા સહિત, ઉદ્વેગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધની શિક્ષા અને દંડની સત્તા સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, વેઠ સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, ચાટ અને ભટના પ્રવેશ મુત, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર પૌત્ર અને વંશજોના ઉપભોગ માટે, પૂર્વ મંદિર અને દ્વિજોને કરેલાં દાન –કરી-ભક્તિ થી શકતૃપના કાળ પછી સં. ૭૫૭ કાર્તિક શુદિ ૧૫, કૃત્તિકામાં જે મહાન દિન પૂર્ણ ઇન્દુ હતું તે દિને સ્નાન કરીને, આજે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિ સત્કારના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે, પાણીના અર્થથી આપ્યું છે. ( પંક્તિ. ૩૯ ) આથી જ્યારે તે બ્રહ્મદાય અનુસાર ( આ ગામને ) ઉપભેગ કરે, ઉપભેગ કરાવે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સેપે, ત્યારે કેઈએ પ્રતિબંધ કરે નહિ. અને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપોએ ભૂમિદાનનું ફળ સર્વ નુપને સામાન્ય છે અને રાજ્યશ્રી વિદ્યુત સમ ચંચળ છે, અને જીવિત તૃણાગ્ર પરના જળબિંદુ સમાન અસ્થિર છે, એમ વિચારીને આ અમારા દાનને પોતાના દાન સમાન ગણવું, અને અનુમતિ આપવી. અને અજ્ઞાનના ઘન તિમિરથી આવૃત થએલા ચિત્ત વડે, જો કે આ દાન જપ્ત કરો અથવા જતિમાં અનુમતિ આપશે, તે પંચમહાપાપ અને અ૫ પાપને દેશી થશે. (પંક્તિ. ૪૪) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે –ભૂમિદાન દેનાર, સ્વર્ગમાં, ૬૦ હજાર વર્ષ વસે છે પણ તે જપ્ત કરનાર, કે તેમાં અનુમતિ આપનાર, તેટલાંજ વર્ષ નરકમાં વાસ કરે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિંધ્યા પર્વતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષના કટરમાં વસતા કાળા સર્ષે જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે; પૃથ્વી વિષ્ણુની છે, ધેનુઓ સૂર્યની પુત્રીઓ છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ત્રિભુવન દેવાશે. સગરથી માંડીને ઘણું નૃપોએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે. જયાં સુધી જે નૃપ ભૂમિને પતિ, ત્યાં સુધી તેને દાનનું ફળ છે, નથી પૂર્વે થએલાં પુણ્ય, લક્ષમી અને યશના કુળવાળાં દાન જે દેને આહતિ સમાન કે ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે ? નૃપમાં શ્રેષ્ઠ, હે નૃપ ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિનું સંભાળથી રક્ષણ કર. ભૂમિનું રક્ષણ દાન કરતાં અધિક છે. આથી રાજ્યશ્રી અને જીવિત કમળપત્ર પરના જળબિંદુ સમાન ચંચળ છે એમ વિચારીને, વિમળ મનના અને નિગ્રહવાળા જનેએ અન્યના યશને નાશ કરે નહિ. ( પંક્તિ. ૫૩) આ દાનને દૂતક શ્રી દેવરાજ છે, અને શ્રી દુભટના પુત્ર સંધિવિગ્રહિક શ્રીનારાયણથી લખાયું છે. ( પંક્તિ ૫૪ ) ઉપરનું લખેલું, મારી શ્રી કર્ક રાજદેવના પુત્ર શ્રી ધૃવરાજદેવની ઈચ્છાથી છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy