SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ એ દોહિલું છે, કઠણ છે; કેમકે મોટા દિવ્યશક્તિ સ્થિર રહી શકતા નથી. આમ જિનચરણસેવા અર્થાત્ જિનાજ્ઞાને – શાસ્ત્રને – સૂત્રને સર્વથા બંધાયેલા રહેવું એ પ્રથમ નંબરનું મહાકર્તવ્ય છે, મહાન ધર્મ છે. માટે જ જૈનશાસ્ત્રને-સૂત્રને ઓળંઘવું– ઓળવવું એ મહાપાપ છે. તેથી જ એ સ્તવનમાં કહ્યું - આગમને જ પ્રમાણ માન્યા એટલે કુતર્ક બિચારો વાળા દેવતાઓ પણ જિનચરણસેવારૂપી ધારપરશે ઊભો રહી શકે ? જીવનમાં આ ખાસ કરવા જેવું છે કે કુતર્કરૂપી વિષમ ગ્રહને દૂર હટાવી દેવાય, કેમકે એ વિવિધ ગુણો માટે ખતરનાક છે. કુતર્ક કયા ગુણોનો નાશક ત્રિં વિશિષ્ટોઽયમિત્યાન્ન ોધરોળ: ગમડપાય:, શ્રદ્ધામજ્ઞોઽમિમાનમ્। कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८७॥ ‘‘પાપ નહિ કોઈ ઉત્સૂત્ર- ભાષણ જિત્યું ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો’’ ‘સૂત્ર અનુસાર કિરિયા' એટલે સૂત્રને જિનાજ્ઞાને પહેલી પ્રમાણ કરીને કરાતી ક્રિયા. 104 સારાંશ, સત્સંગ અને જિનાગમના સેવનથી અવેઘસંવેદ્યપદ જીતી લીધું એટલે કે હિતાહિતસારાસાર– હેયોપાદેય અનંતજ્ઞાનીએ કહ્યા પ્રમાણે નહિ, કિન્તુ પોતાની મતિકલ્પના અને મિથ્યા શાસ્ત્રની દોરવણી મુજબ માનવાનું પડતું મૂક્યું, એટલે એનાપર નભતા મહામિથ્યાત્વ અને પશુતા તથા કુતર્ક સહેજે હટી જાય, અને તેથી જ કુતર્ક સહેજે નિવૃત્ત થઈ જાય છે. વેદ્યસંવેદ્યપદ કુતર્કનું નિમિત્ત છે. નિમિત્ત ગયું તો નૈમિત્તિક (કાર્યક્રુતર્ક) સહેજે નિવૃત્ત થઈ જ જાય. હવે તો આગમશાસ્ત્ર પ્રમાણ કર્યા, તો કદાચ કોઈ તર્ક ઊઠે કે સામેથી આવે, તો એ જોરોકે ‘આ શાસ્ત્રાનુસાર છે ? શાસ્ત્રને અનુકૂળ છે ? શાસ્ત્રની વાતનો સમર્થક છે ? જો નથી, તો એ સત્ તર્ક નહિ કુતર્ક છે, ને એ ખપે નહિ.’ આમ શી રીતે આ વિચાર આવે ? કારણ એ કે એનામાં હવે જ્ઞાનયોગ પ્રગટી ગયો છે. આ જ્ઞાનયોગ એટલે શાસ્ત્રકાર મહર્ષિ કહે છે, આગમ-પ્રામાણ્યનો નિર્ધાર. સર્વજ્ઞના बोधरोगस्तद्यथावस्थितोपघातभावात् । शमापायोऽसदभिनिवेशजनकत्वात् । श्रद्धाभङ्गःआगमार्थाप्रतिपत्तेः। अभिमानकृन्मिथ्याभिमानजनकत्वात् । एवं कुतर्क आगमनिरपेक्ष इत्यर्थः । મિત્યાન્ન ચેતસ: અન્ત:રસ્ય ભાવશત્રુ: परमार्थरिपुः अनेकधा आर्यापवादादिकारणेन ॥८७॥ ટીકાર્થ : આ કુતર્ક કેવોક હોય છે, એ કહે છે, ગાથાર્થ : (૧) ખોધમાટે રોગ સમાન, (૨) ઉપશમભાવમાટે અનર્થરૂપ, (૩) શ્રદ્ધાનો ભંગ કરનારો, અને (૪) અભિમાન કરાવનારો (આ) કુતર્ક સ્પષ્ટ છે કે અંતઃકરણનો અનેક પ્રકારે ભાવ શત્રુ છે. ટીકાર્ય : કુતર્ક એ બોધને લાગુ પડેલો રોગ છે, કેમકે (એથી) બોધની યથાર્થતાનો ઉપઘાત થાય છે. ઉપરામભાવને નુકસાનરૂપ છે, કેમકે અસદ્ અભિનિવેશ કરાવનારો છે. શ્રદ્ધાનો ભંગકારી છે, કેમકે સર્વજ્ઞભાષિત આગમના પદાર્થ સ્વીકારવા દેતો નથી. અભિમાનકારી છે, કેમકે મિથ્યા અભિમાન પેઠા કરાવનારો છે. એમ કુતર્ક આગમથી નિરપેક્ષ છે. એ શું છે ? આર્યત્વની હલકાઈ વગેરે કારણે એ ચિત્ત અર્થાત્ અંતઃકરણનો અનેક પ્રકારે ભાવાત્રુ અર્થાત્ વાસ્તવમાં રાત્રુ છે. વિવેચન : ધર્મ કરનાર માણસને પણ મોહરાજા કુતર્કો કરાવી કેવો ફસાવે છે, અને કેવો ખતરનાક નીવડે છે, એ હવે બતાવે છે.
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy