SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૬ ) www.kobatirth.org પાપ - વિકલ્પોથી નુકસાનો અશુભ વિકલ્પ એ જાણે ક્ષયનો જંતુ છે. એ એક મનમાં પેઠો કે – (૧) બીજા અનેક અશુભ વિકલ્પ-જંતુઓ ઉત્પન્ન કરે છે. એથી વળવાનું કશું જ ન હોય, છતાં એ એટલી ભયંકર સ્થિતિએ પહોંચી જાય છે, કે – (૨) હૃદયને કાળું મેશ કરી મૂકે, (૩) મગજને તપાવી દે છે, અને (૪) રૌદ્ર ધ્યાનમાં ચઢાવી નરકના ભાતાં ભેગા કરાવે ! લ્યો, અશુભ વિકલ્પ કરીને શો સાર કાઢયો ? એથી પ્રસન્નચંદ્ર રાજર્ષિને સાતમી નરકના ભાતાં ભેગા થયા! (૫) શરીરની ધાતુઓને એ ઉશ્કરી મૂકે છે, તેથી આખું ય ઘડતર ફરી જાય છે. (૬) પછી તો એ અશુભ વિકલ્પોની આવૃત્તિ ચાલ્યા કરે છે, તે ય સહજભાવે ! (૭) પાપ-વિકલ્પોના કાળ દરમિયાન સારી ભાવનાઓ, તત્ત્વના ચિંતનો, મહાપુરુષના જીવન-સ્મરણો કે માત્ર પ્રભુના નામજાપને પણ અવસર રહેતો નથી. તેથી (૮) અશુભ વિકલ્પોમાં માનવજીવનનો અમૂલ્ય સમય, વિના સુકૃત કમાણીએ વેડફી નાખવાનું થાય છે. (૯) બીજું એક નુકસાન એ પણ છે કે સારામાં સારા સ્નેહી માટે પણ એણે આપણું બગાડયું માની જો આપણે ખોટા વિકલ્પમાં ચઢયા, તો એ દુશ્મનરૂપ લાગશે, અને પછીના આપણા એવા વર્તાવ થશે કે ખરેખર એ દુશ્મન બની જાય. ખરેખર તો ત્યાં આપણા અશુભ કર્મનો ઉદય અને મૈત્રીભાવના વિચારવી જોઇએ; તો એ ખોટા વિકલ્પ નહિ ઊઠે, નહિ લંબાય. ત્યારે, – અશુભ વિકલ્પોને જો મૂળમાંથી રોકીએ તો કેટલીય સારા પુરુષાર્થની કરણીને અવકાશ રહે છે. માત્ર, આપણા કર્મના ઉદયની વિચારણા અને સામા Acharya Shri Kailassagarsuri Gyanmandir ( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો તરફ મૈત્રીભાવના આ બે જાગ્રત જોઇએ; તો વિકલ્પ અટકશે. પછી તો જુઓ કે વિકલ્પ વિનાના મસ્ત મનથી ધર્મની કેવી કમાઇ! આવા અનેક નુકસાનો લાવનારા ખોટા વિકલ્પોથી બચવા રાજમાર્ગ આ, કે - (૧) ધર્મયોગો વારંવાર આરાધાય, (૨) એમાં દિલ ચોંટાડી-ભેળવી એકરસ કરાય, અને (૩) દિલ એમાં ઠરે એવું કરાય. પ્રેમાળ, રૂપાળી અને સેવાકારી તથા આજ્ઞાંકિત પત્ની માટે સારી ચીજોની ખરીદી કરવામાં અને એ માટે બે કલાક બજારોમાં ઘુમવામાં પતિનું દિલ કેવુંક ઠરે છે! લોભી વેપારીનું કલાકોભર વેપાર કરવામાં દિલ કેવું ઠરે છે! એવું ધર્મયોગોની સાધનામાં દિલ ઠરવું જોઇએ. ધર્મમાં દિલ ઠારવા માટે આ વિચારો, કે - (૧) આ ઉચ્ચ ધર્મસાધનાઓ એ માનવભવનો લહાવો છે; માટે ધર્મસાધનામાં મારું દિલ ઠામું. લગ્ન એ સંસારી જીવનનો લહાવો સમજયા પછી લગ્નની લાંબી પણ ક્રિયાઓમાં દિલ કેવુંક ઠરે છે! (૨) ‘જગતના દુ:ખી જીવો બિચારા ભૂખ-ત્રાસ વગેરે અપાર કષ્ટ સહવા છતાં એમની પાસે ધર્મસમજ જ ન હોવાથી એમને તપ-પરિસહજિનભકિત વગેરે ધર્મનો લહાવો નથી. તો મને ધર્મસમજ મળ્યાથી આ ધર્મનો લહાવો મળ્યા પછી એમાં ઠરવાનું ચૂકું ? (૩) સંસાર નાશવંત છે, પરાયો છે, અહિતકારી છે; ત્યારે ધર્મ એ અવિનાશી છે, મારો પોતાનો છે, અને હિતકારી છે. ૫૨ભવે એના સંસ્કાર ચાલે છે, પરભવે ધર્મ સુલભ બને છે. તો પછી મારું દિલ સંસારમાં શું કામ ઠરે ? દિલ ધર્મમાં જ ઠરે.’’ For Private and Personal Use Only ક્ષાયિક સમકિતી રાજા શ્રેણિકનું દિલ એમ જ સંસારમાં નહોતું ઠરતું, પણ પ્રભુભકિતમાં ઠરતું. તેથી
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy