________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
ઘણે અંશે પણ વર્તમાન હેય; જે વસ્તુમાં જ શક્તિ ન હોય તે પછી સમુદાયમાં તે શી રીતે આવે? ઘણા બીકણ માણસને એક સ્થળે સમાગમ કરીએ તે શું ઘણું બીકણ મળવાથી શુરવીરપણું ઉત્પન્ન થાય ખરૂં ? જે શુરવીરપણું કેઈ એક વ્યક્તિમાં હોય તે જ સમુદાયમાં બહાર આવે. મૂળ ન હોય તે પછી તેની શાખા સંભવે જ કેમ? નાસ્તિકે જે આ વાતને વિચાર કરે અને વિવિધ વસ્તુઓના ધર્મનું મનન કરે તે તેમને જીવનું સ્વયંસિદ્ધ ચિતન્ય સમજાયા વિના રહે નહીં.
શિષ્ય—નાસ્તિકો પ્રત્યક્ષ સિવાયના બીજા પ્રમાણને માનતા જ નથી તે કેમ?.
રિતે તેમની મહેટામાં હેટી ભ્રાંતિ છે. અનુમાન પ્રમાણને આધાર લીધા વિના ચાલતું નથી. લગડાના હાલવા ઉપરથી જ જેમ વાયુનું અનુમાન નીકળી શકે છે. તેવી રીતે જીવ પણ અનુમાન ઉપરથી જ સિદ્ધ થઈ શકે છે. જેમ સુંદર બીજમાં અંકુર, સૂર્ય. કાંતમણીમાં અગ્ની અને ચંદ્રકાંત મણીમાં જળ રહેલાં છે અને તે યુક્તિથી જ સિદ્ધ કરાય છે. તેવી રીતે શરીરમાં રહેલે જીવ પણુ યુક્તિથી જ સિદ્ધ કરી શકાય છે. યુક્તિ કે અનુમાન વિના ખાલી પ્રત્યક્ષ પ્રમાણને જ વળગી રહેવું એ ખેટે મતાગ્રહ છે. મતને અંધ આગૃહ હોય ત્યાં સુધી કઈ વસ્તુ સંપૂર્ણ રીતે ઓળખી જ કેમ શકાય?
For Private And Personal