________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૫૩
આગળ સુધી દૂર જાય છે અને તેના સ્વરની સાથે સમ ચોરસ આકાર ધારણ કરે છે. જળ તત્વ નીચે તરફ ચાલે છે, તે નાસીકાથી સેળ આંગળ દૂર જાય છે અને ચંદ્રમાની માફક ગોળ આકાર ધારણ કરે છે. અગ્નિ તત્વ ઉપરની દિશાએ ચાલે છે, તે નાયિકાથી આઠ આગળ દૂર જાય છે અને ધ્વજાની સમાન આકાર લે છે. આકાશ તત્ત્વ નાસિકાની અંદર જ ચાલે છે અર્થાત્ બન્ને સ્વરોમાં રહે છે. આકાશ શૂન્ય પદાર્થ હોવાથી તેને આકાર નથી હોતે, નાક ઉપર આંગળી રાખ્યા પછી જે. શ્વાસ બાર આંગળ દૂર જતો જણાય તે પૃથ્વી તત્વ, સેળ આગળ દૂર જાય તો જળ તત્વ એમ અનુક્રમે સમજી લેવું. - ત્યેકસ્વર એક એક કલાક વહે છે. તેમાં પૃથ્વી તત્ત્વ પચાસ પળ જળ તવ ચાળીસ પળ, અગ્નિ તત્વ ત્રીશ પળ, વાયુતત્ત્વ વીશ પળ, અને આકાશ તત્ત્વ દશ પળ એવી રીતે ત્રણે નાડીઓ, ત્રણે સ્વરે ઉક્ત પાંચે તોની સાથે દિવસ અને રાત પ્રકાશિત થયા કરે છે.
શિષ્ય—પણ એ પાંચે તનું જ્ઞાન સહેજે શી રીતે થાય?
સૂરિ–જે રંગ મેં આગળ વર્ણવ્યા તે પાંચે રંગેની પાંચ ગોળીઓ તથા એક વિચિત્ર રંગની ગોળી બનાવવી. આ છ ગોળીઓ પાસે રાખી લેવી. જ્યારે મનમાં કોઈ એક તત્વને વિચાર આવે ત્યારે પેલી છ ગેળીમાંથી એક ગોળી આંખ મીંચીને ઉપાડી લેવી. જે ગાળીને અને આપણું મનને રંગ ૨૩
For Private And Personal