________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧ર૦
વિવેક વિલાસ. શિષ્ય-પુત્ર સૂચક રેખા ક્યાં હોય છે?
સૂરિ–અંગુઠાના મૂળ પાસે જેટલા જવ હોય તેટલા પુત્ર જાણવા. શિષ્ય—અને તે મધ્ય ભાગમાં હોય છે?
સરિ–અંગુઠાના મધ્યભાગમાં જે જવ હોય છે તેથી વિદ્યા–ચશ અને લક્ષ્મી મળે. તે સિવાય જે જમણા હાથના અંગુઠાના મધ્યભાગમાં હોય તો તે માણસને જન્મ શુક્લ પક્ષમાં અને ડાબા હાથના અંગુઠાના મધ્ય ભાગમાં હોય તે કૃષ્ણ પક્ષમાં થયેલ હોવા જોઈએ એમ માનવું. એક કરતાં અધિક જવ આ સ્થળે હોય તે તે સર્વનું ફળ એક જ પ્રકારનું સમજવું.
શિષ્યહાથમાં મત્સ્ય આદિના ચિન્હો હોય તો તેનું પરિણામ શું આવે ?
સૂર–મનુષ્યના હાથના મૂળ ભાગમાં જે એકજ મસ્યા હોય અને તે સામા મુખને હોય તે તેથી લક્ષ્મીની વૃદ્ધિ થાય. કદાચ બન્ને હાથમાં એક એક હોય અને તે સંપૂર્ણ હોય તે પછી લક્ષ્મીની અતિશય વૃદ્ધિ થાય એમાં શક જ નથી!
શિષ્ય–લક્ષ્મીની વૃદ્ધિ સૂચવનારાં બીજાં એવાં ચિન્હ હોય છે?
સૂરિ–સમુદ્રની પુત્રી–લક્ષ્મી કહેવાય છે. સમુદ્રને રત્ના કરની ઉપમા આપવામાં આવી છે. જેઓ આ સમુદ્રને ખેડી શકે તેઓ ઘણું ધનવાન બને એ સ્પષ્ટ જ છે. સમુદ્રને ખેડવાની
ગ્યતા કેનામાં હોય એ પ્રશ્નને ઉત્તર હાથની રેખાઓમ
For Private And Personal