________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ]
આભાસ : છાયા; દેખાવમાત્ર બિંબના ધર્મથી
રહિત હોય છતાં બિંબ જેવું દેખાય છે. જેમ કે ખાબોચિયાને પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, તે સૂર્યના ધર્મ ગરમીથી રહિત હેવા
છતાં સૂર્યની પેઠે ચળકે છે. આભાસની સાત અવસ્થા : અજ્ઞાન, આવરણ, વિક્ષેપ (ભ્રાંતિ ), પરોક્ષ જ્ઞાન, અપક્ષ જ્ઞાન,
શોક, નાશ, અતિ હર્ષ. આભાસવાદઃ જીવ-ઈશ્વરના સ્વરૂપ વિષે ત્રણ મત
છે, તેમાંનો એક. શુદ્ધ સત્વગુણ સહિત માયામાં બ્રહ્મનો આભાસ તે ઈશ્વર અને મલિન સર્વગુણ સહિત અવિદ્યાના અંશમાં આભાસ
તે જીવ, એમ માનવું તે આભાસવાદ છે. આમુમ્બિક : પરલોક સંબંધી. આરંભવાદ : જગતની ઉત્પત્તિ સંબંધી ત્રણ મત
છે, તેમાંનો એક પરમાણુથી જગત ઉત્પન્ન થયું છે, એમ માનવું છે. એ મત ન્યાય, વૈશેષિકવાળાનો છે. તેઓ માને છે કે ઈશ્વરની ઈચ્છાથી પરમાણુઓમાં કંપન થાય છે અને
સજાતીય પરમાણુઓ ભેગા મળી જગત થયું. આપઃ એક વસ્તુના ધર્મ બીજી વસ્તુને લગાડવા
For Private and Personal Use Only