________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૧] તને સુખપ્રાપ્તિ થશે, પણ તેમ કર્યાથી શિષ્ય જન્મ-મરણનું મહાદુઃખ ભોગવે છે. એ અંધ
ગેલાંગુલન્યાય છે. અંશ: ભાગ; સર્વ પદાર્થમાં પાંચ અંશ છેઃ
અસ્તિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ. આકાશઃ પંચભૂતમાંનું એક તત્ત્વ. તેના ઘટાકાશ,
જલાકાશ, મઠાકાશ અને મહાકાશ એવા ચાર
ભેદ ઉપાધિને લીધે કહેવામાં આવે છે. આકાંક્ષાઃ પદના અન્વય માટે બીજા પદની જરૂર
હેવી . જેમ કે “આવે છે. અહીં માત્ર આવે છે પદથી કાંઈ અર્થ સમજાતું નથી. તેને કોઈ બીજા પદની જરૂર છે જેમ કે રાજા આવે છે. અહીં રાજાપદની આકાંક્ષા કહેવાય. તે સિવાય શબ્દબોધ કરી શકે નહિ. આગમ: શાસ્ત્ર, વેદ, શબ્દપ્રમાણ. આગામી કમ : વર્તમાન શરીરે થતાં પુણ્યપાપ
રૂપ કર્મક ક્રિયમાણ કર્મ. આતતાયીઃ અગ્નિ લગાડનાર, વિષ દેનાર, હાથમાં
હથિયાર લઈ મારવા આવનાર, ધન લઈ લેનાર ને ભૂમિનું તથા સ્ત્રીનું હરણ કરનાર આતતાયી કહેવાય છે.
For Private and Personal Use Only