________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૭ ] મનની વૃત્તિમાં આનંદનું પ્રતિબિંબ પડે છે તે. વિષયીઃ આ લોક અને પરલોકના વિહિત વિષ
સંપાદન કરવા માટે વિહિત ઉગ કરનાર. વિસંવાદી ભ્રમઃ જે મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્ત થતાં
ઈષ્ટ ફળની પ્રાપ્તિ ન થાય તે. વૃત્તિઃ અંતઃકરણ અથવા અજ્ઞાનનું પરિણામ વિશેષ
શબ્દનો પિતાના અર્થ સાથેનો સંબંધ. શબ્દની બે વૃત્તિ છે: ૧. શક્તિવૃત્તિ અને ૨. લક્ષણાવૃત્તિ.
જીવનનિર્વાહના સાધનને પણ વૃત્તિ કહે છે. વૃત્તિના પ્રકારઃ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા,
અને સ્મૃતિ. તથા કિલષ્ટ અને અલિષ્ટ એવા
ભેદ પણ છે. વૃત્તિ વ્યાપ્તિઃ વૃત્તિને વિષે. બુદ્ધિવૃત્તિને સદભાવ.
અંતઃકરણનું વિષયાકાર પરિણામ તે વૃત્તિવ્યાપ્તિ. વૃદ્ધઃ અવસ્થાવૃદ્ધ, જાતિવૃદ્ધ, આશ્રમવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ,
ધર્મવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આ છ વૃદ્ધો ગણાય છે. વેદઃ ૧ જે વાક્ય મનુબે રચેલું ન હોય તે વેદ.
૨ ધર્મનું અને બ્રહ્મનું પ્રતિપાદન કરનારું અપૌરુષેય પ્રમાણરૂપ વાક્ય તે વેદ (મધુસૂદન). ૩ મંત્ર અને બ્રાહ્મણને સમુદાય તે વેદ. આ
For Private and Personal Use Only