SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૯. ઈલાજ ૧૭ મે. જ પેરડી વરસ ૧૦ ઉપરની હોય તેનું મુળીઉં કાહાડી પાણીમાં ઘસી સેહેજ ગરમ કરી, માથે ભરવાથી માથું દુખતું નરમ પડશે. ઈલાજ ૧૮ મે. અગર, તગર. સુખડ. રતાંજળી. પ્રાસકપુર, ગીઅરમાની. કોથમીરને રસ તોલા ૨. કેથમીરના રસમાં અગર, તગર, સુખડ અને રતાંજળીને ચાર પાંચ વખત ઘસી લેવું કે તેની અંદર પ્રાસકપુર વાલ ૧ ઘસી મેળવવું, અને ગીઅરમાની તો વાા મેળવવી. પછી એ બધાં વાણાને ગુલાબ ગલાસ ૧ માં મેળવી, એક સીસીમાં ભરવાં, અને તેને માંથી એક કટકે ભીજવી માથા ઉપર મુકયા કરો, તથા એ સીસી દરદીને સુંઘાડ્યા કરવી; તૈથી માથું દુઃખતું નરમ પડશે. ઈલાજ ૧૯ મે. ચમેલીનું તેલ માથા ઉપર ભરવાથી માથુ નરમ પડશે. ઈલાજ ૨૦ મે. મોગરાનું તેલ ને મોગરાનાં ફુલમાંથી બનાવવામાં આવે છે તે માથા ઉપર લગાડવાથી મગજને તર કરશે, ને માથાનું દરદ દુર થશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy