SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kalassagarsur Gyanmandir સામે જંબૂ દ્વીપનું ચિત્ર છે. જેનું દ્વીપ ૬ લાખ યોજન લાંબો પહોળો ગોળ છે. જંબૂ દ્વીપમાં કુલ પૂર્વ-પશ્ચિમ લાંબા ઉત્તર-દક્ષિણ પહોળા છ વર્ષધર પર્વતો છે અને સાત ક્ષેત્રો છે જે ચિત્રમાં બતાવેલ છે. દક્ષિણથી ઉત્તર જતા ક્રમશઃ ૧ ) ભરત ક્ષેત્ર ૨) લઘુ હિમવંત પર્વત ૩) હિમવંત ક્ષેત્ર ૪) મહાહિમવંત પર્વત ૫) હરિવર્ષ ક્ષેત્ર ૬) નિષધ પર્વત ૭) મહાવિદેહ ક્ષેત્ર ૮) નીલવંત પર્વત ૯) રમ્યક ક્ષેત્ર ૧0) રુમી પર્વત ૧ ૧) હિરણ્યવંત ક્ષેત્ર ૧૨) શિખરી પર્વત ૧ ૩) રમેરવત ક્ષેત્ર, લઘુહિમવંતાદિ છ પર્વતોને વર્ષધર પર્વતો કહેવાય છે. જંબૂ દ્વીપમાં કુલ ૬ ૩ ૫ જિનચેત્યો છે. આમાંથી ૬૦૫ જિન ચેત્યો મહાવિદેહ ક્ષેત્રમાં છે, બાકીના 30 તે સિવાયના ક્ષેત્રો તથા પર્વતો પર છે. મહાવિદેહ ક્ષેત્રના ચેત્યોને જુદા ચિત્રોમાં બતાવીને આગળ જુહારીશું. આ ચિત્રમાં મહાવિદેહ ક્ષેત્ર સિવાયના ૩૦ શાશ્વત ચેત્યો બતાવ્યા છે. એના સ્થાન આ મુજબ છે. (૧) લઘુહિમવંતાદિ છ વર્ષધર પર્વતોમાં પૂર્વ દિશા તરફ છેલ્લા કૂટ શિખરો પર એક એક શાશ્વત ચેત્ય છે. આ દરેક ચેત્યમાં ૧૨૦ જિનબિંબો છે. કુલ ૭૨૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના., નમો જિણાણ... | (૨ ) છયે વર્ષધર પર્વતોની મધ્યમાં એક એક સરોવર છે. દરેક સરોવરની મધ્યમાં કમળ છે. તેની ઉપર એક એક શાશ્વત ચેત્ય છે. આ છ ચેત્યોના કુલ ૭૨૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણ... | (૩) મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં મેરુ પર્વત છે. તે સિવાયના છ ક્ષેત્રોમાંના ભરત ક્ષેત્ર તથા એરવત ક્ષેત્રની મધ્યમાં પૂર્વ પશ્ચિમ લાંબો વેતાદ્ય પર્વત છે. આ બંને વેતાદ્રય પર્વત પર નવ નવ કૂટો (શિખર) છે. તેના પૂર્વ દિશાના કૂટ પર એક એક સિદ્ધાયતન (શાશ્વત ચેત્ય છે) બાકીના ચાર ક્ષેત્રો (હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર, હિરણયવંત ક્ષેત્રોમાં વચ્ચે ૧,000 યોજન લાંબો, પહોળો, ઊંચો વૃત્ત વૈતાદ્ય પર્વત છે. ચારે વૃત્ત વેતાય પર્વત ઉપર પણ એક એક શાશ્વત ચૈત્ય છે. છયે ચેત્યના કુલ ૭૨૦ જિન પ્રતિમાજીને મારી ભાવભરી વંદના... નમો જિણાણ... | (૪) ભરત ક્ષેત્ર તથા એરવત ક્ષેત્રમાં લઘુ હિમવંત અને શિખરી પર્વત પરના સરોવરમાંથી બે નદીઓ પર્વત પર પૂર્વ પશ્ચિમ પ00 યોજન વહીને નીચે ક્ષેત્રમાં નદીના નામના ફંડોમાં પડે છે. બાકીના ચારે ક્ષેત્રોમાં એક એક નદી ઉત્તર તરફના પર્વત પરના સરોવરમાંથી નીકળી દક્ષિણ તરફ આગળ વધી તથા બીજી દક્ષિણ તરફના પર્વત જંબૂ દ્વીપના 80 શાશ્વત ચૈત્યોને વંદના પરના સરોવરમાંથી નીકળીને ઉત્તર તરફ આગળ વધી નીચે નદીના નામના કુંડોમાં પડે છે. છયે ક્ષેત્રોમાં કુલ બાર ફંડો છે. આ દરેક કુંડની મધ્યમાં દ્વીપ છે. અને તે દ્વીપો પર એક એક જિનમંદિર છે. બાર કુંડના બાર દ્વીપ પરના બાર ચૈત્યોમાં કુલ ૧૪ ૪૦ જિન પ્રતિમાજી છે. આ ૧,૪૪૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણ.. આમ જંબૂ દ્વીપના ફલ (મહાવિદેહ ક્ષેત્ર સિવાયના) 30 શાશ્વત જિન ચેત્યોમાં બિરાજમાન ૩,૬૦૦ જિન બિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાયું... | મંદિર પ્રતિમાજી ૬ વર્ષધર પર્વતો પર ૬ ૭૨૦ ૬ વૈતાદ્ય પર્વતો પર ૬ ૭૨૦ ૬ સરોવરમાં કમલ પર ૬ ૭૨૦ ૧૨ નદીના કુંડોમાં ૧૨ ૧,૪૪) ચંદ્રાનન વારિપેણ વર્ષમાન કુલ ૩૦ ૩,૬૦૦ ત્રિલોક ની વંદના પણ For Private and Personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy