________________
તત્વાર્થસૂત્રને
ઉત્તર ક્રિય અર્થાત્ કદી-કદી વિક્રિયા લબ્ધિથી બનાવવામાં આવનારા શરીરની અવગાહના. તેમના ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હોય છે. ઉત્તર વૈકિય શરીરની જઘન્ય અવગાહના આંગળીના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ જનની હેય છે.
એવી જ રીતે સ્વનિતકુમાર સુધી સમજવું. સામાન્ય રૂપથી વાતવ્યન્તરોની તિકોની તથા સૌધર્મ અને ઇશાન દેવેની અવગાહના પણ પૂર્વોકત જ છે. અશ્રુત કલ્પ સુધીના દેના ઉત્તર વૈકિય શરીરની અવગાહના આવી જ રીતે અર્થાત્ એક લાખ જનની છે. સનકુમાર કલપના દેના ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ છ હાથની છે. માહેન્દ્ર કલ્પમાં પણ એટલી જ અવગાહના છે. બ્રહ્મલેક અને લાન્તક કપમાં પાંચ હાથની મહાશુક અને સહસ્ત્રાર ક૫માં ચાર હાથની તથા આનત પ્રાણુત આરણ અને અચુત ક૫માં ત્રણ હાથની અવગાહના હોય છે.
પ્રશ્ન—શૈવેયક કાતીત વૈમાનિક પંચેન્દ્રિય દેના વૈક્રિય શરીરની અવગાહના કેટલી મેટી છે?
ઉત્તર–ગૌતમ ! રૈવેયક દેવામાં એક ભવધારણીય શરીરની અવગાહના હોય છે. (ઉત્તર વૈકિય શરીરની અવગાહના હોતી નથી કારણ કે તે દેવ ઉત્તર ક્રિય શરીર બનાવતાં નથીતેમનામાં એવી ઉત્સુક્તા-ઉત્કંઠા હોતી નથી.) ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના આગળીના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ બે હાથની હોય છે. અનુત્તર વિમાનના દેના વિષયમાં પણ આવું જ સમજવાનું છે અર્થાત તેમનામાં પણ ભવધારણીય શરીરની જ અવગાહના હોય છે અને તે એક હાથની જ હોય છે. ઉત્તર વૈકિય શરીર તેઓ પણ બનાવતા નથી.
પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ માં અવધિપદમાં કહ્યું છે પ્રશ્ન–ભગવદ્ ! અસુરકુમાર અવધિજ્ઞાન દ્વારા કેટલાં ક્ષેત્રને જાણે-ખે છે?
ઉત્તર–ગૌતમ ! જઘન્ય પચીસ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે–જુવે છે. નાગકુમાર અવધિજ્ઞાનથી જઘન્ય પચીસ ચેાજન અને ઉત્કૃષ્ટ–સંખ્યાત દ્વીપસમુદ્રને જાણે-જુવે છે. એ જ રીતે સ્વનિતકુમારની સુધી સમજવું. વાનચન્તર નાગકુમારોની માફક જાણે જુએ છે.
પ્રશ્ન–ભગવાન ! જ્યોતિષ્ક દેવ અવધિ જ્ઞાનથી કેટલાં ક્ષેત્રને જાણે-જુવે છે?
ઉત્તર–ગૌતમ ! જઘન્યથી સંખ્યાત દ્વીપ સમુદ્રને અને ઉત્કૃષ્ટથી પણ સંખ્યાત દ્વીપ સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે–દેખે છે.
પ્રશ્ન-સીધમ કલ્પના દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે?
ઉત્તર–ગૌતમ ! જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીને નીચલા અંતિમ ભાગ સુધી, તિછ અસંખ્યાત દ્વીપસમુદ્ર સુધી, ઉપર પિતપિતાના વિમાને સુધી અવધિજ્ઞાન દ્વારા જાણે જુવે છે.