SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪. દેના ભેદોનું કથન સૂ. ૧૬ સંગ-વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે તાત્પર્ય એ છે કે આરંભ પરિગ્રહ વગેરેમાં દોષ જોવાથી તેમના પ્રતિ અરુચિ અને ધર્મમાં બહુમાન ઉત્પન્ન થાય છે. શરીર-ભંગ અને સંસારથી વિરક્તિ થાય છે, વિમુખતા થાય છે અને ઉગ ઉત્પન્ન થાય છે ૧૫ જેવા અશ્વિ, માનવ ઈત્યાદિ સૂ. ૧૬ સૂવાર્થ–દેવ ચાર પ્રકારના છે-ભવનપતિ, વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિક ૧દા તત્વાર્થદીપિકા–જીવ વગેરે નવ તેમાંથી ક્રમપ્રાસ ચેથા પુણ્યતત્વની પ્રરૂપણ કરીને પુણ્યના ફળથી પ્રાપ્ત થનારી દેવગતિની પ્રરૂપણું કરવાના આશયથી સર્વ પ્રથમ દેના ભેદ કહીએ છીએ – દેવ ચાર પ્રકારના છે–ભવનપતિ વાણુવ્યંતર તિષ્ક અને વૈમાનિક આભ્યન્તર કારણે દેવગતિ નામ કર્મને ઉદય થવાથી બાહ્ય વિભૂતિઓથી દ્વિીપ પર્વત સમુદ્ર આદિ પ્રદેશોમાં ઈચ્છાનુસાર જે ક્રીડા કરે છે તેઓ દેવ કહેવાય છે (પચાદિ ગણુ)માં પાઠ હોવાથી દેવ શબ્દમાં અમ પ્રત્યય થયો છે. દેશના પૂર્વોક્ત ચાર પ્રકાર છે. તત્ત્વાર્થનિર્યુકિત–પ્રથમ વિસ્તારપૂર્વક પુણ્યતત્વની પ્રરૂપણ કરવામાં આવી. હવે પુણ્યકર્મના ફળ દેવગતિની પ્રરૂપણ કરવા માટે સર્વપ્રથમ દેના ભેદ કહેવામાં આવે છે. દેવગતિ નામક પુણ્ય નામકર્મના ઉદયની દ્વીપ પર્વત વગેરે પ્રદેશોમાં જેઓ ક્રીડા કરે છે તેઓ દેવ કહેવાય છે. સ્વૈરવિહારી સ્વભાવવાળા હોવાથી તેમનું મન હમેશા કીડામાં આસક્ત રહેલું હોય છે. ' અથવા વ્યક્તિને અર્થ છે-ભ્યોતો. અત્યન્ત તેજવાન હોવાથી અને હાડકાં, માંસ, લેહી, મજજા આદિથી રહિત હોવાના કારણે જેમના બધાં અંગે પાંગ અત્યન્ત નયનરમ્ય હોય છે તેઓ દેવ કહેવાય છે. અથવા વિદ્યા, મંત્ર અને વશીકરણ વગર જ પૂર્વે કરેલાં તપના પ્રભાવથી તેઓ જન્મકાળથી જ વગર આધારે આકાશમાં વિચરે છે તેઓ દેવ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્ર અનુસાનુર “દવું ધાતુના અનેક અર્થ થાય છે જેવા કે- કીડા, વિજિગીષા (વિજયની આકાંક્ષા), વ્યવહાર, ઘુતિ, સ્તુતિ, મોદ, મદ, સ્વમ, કાન્તિ અને ગતિ. દેવેની વિશિષ્ટ ગતિનું વર્ણન આગમાં કરવામાં આવ્યું છે. વ્યાખ્યાપ્રાપ્તિ-ભગવતીસૂત્રના અગીયારમાં શતકના દશમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે– આ પ્રશ્ન–ભગવાન ! લેક કેટલે મોટો છે ? ઉત્તમગૌતમ ! આ જમ્બુદ્વીપ નામને દ્વિીપ સંમસ્ત દ્વીપ અને સમૂદ્રોની અંદર છે અને બધાથી નાનું છે. કેઈ કાળ અને કઈ સમયમાં છ મહાન રિદ્ધિના ધારક દેવ જમ્મુદ્વીપમાં, મેરૂપર્વતના શિખરને ચારે બાજુથી ઘેરીને ઉભા હોય આ બાજુ ચાર મોટી દિકકુમારિઓ ચાર બાલિપિડે ને પકડીને જમ્બુદ્વીપના ચારે દ્વારોએ બહારની બાજુએ મુખ રાખીને ઉભી થઈને તે ચારેય બલિપિડેને એકી સાથે છોડી દે ત્યારે હે ગૌતમ ! તે છ દેવમાંથી એક-એક દેવ તે ચારે બલિપિડોને ધરતી પર પડતાં પહેલાં જ શીવ્રતાપૂર્વક ઝીલી શકે છે,
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy