SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ રä૮ તત્વાર્થસૂત્રને પ્રશ્ન-શુભનામ કર્મના વિષયમાં પૃચ્છા-અર્થાત્ હે ભદન્ત ! શુભનામ કમ કયા કારણે બંધાય છે ? ઉત્તર-હે ગૌતમ! (૧) કાયની ઋજુતાથી (૨) ભાવની જુતાથી (૩) ભાષાની ઋજુતાથી અને (૪) અવિસંવાદન યેગથી શુભ નામકર્મ બંધાય છે. આ શુભનામ કર્મ દેવગતિ મનુષ્યગતિ વગેરે સાડત્રીશ પ્રકારથી ભોગવી શકાય છે. જેમકે (૧) દેવગતિ (૨) મનુષ્યગતિ (૩) મનુષ્યાનુપૂવી (૪) દેવાનુપૂવી (૫) પંચેન્દ્રિય જાતિ '(૬-૧૦) દારિક વગેરે પાંચ શરીર (૧૧-૧૩) ત્રણ અંગોપાંગ અર્થાત (ક) ઔદારિક અંગેપાંગ (ખ) વેકિય અંગેપાંગ (ગ) આહારક અંગોપાંગ (૧૪) વા ઋષભનારા સંહનન (૧૫) સમચતુરન્સ સંસ્થાન (૧૬–૧૮) પ્રશસ્ત વર્ણ ગબ્ધ રસ (૧૯) સ્પર્શ ત્રસ આદિ અર્થાત્ (૨૦) ત્રસ (૨૧) બાદર (૨૨) પર્યાપ્ત થ૩) પ્રત્યેક શરીર (૨૪) સ્થિર (૨૫) શુભ (૨૬) સુભગ (૨૭) સુસ્વર (૨૮) આદેય (૨૯) યશકીતિ (૩૦) અગુરુલઘુ (૩૧) ઉચ્છવાસ (૩૨) આતપ (૩૩) ઉદ્યોત (૩૪) પ્રશસ્તવિહાગતિ (૩૫) પરાઘાત (૩૬) તીર્થકર અને (૩૭) નિમણુ નામકર્મ. - આ સાડત્રીશ પ્રકારથી શુભનામકર્મના ભેગા થાય છે. આમાં જે અંગે પાંગનામ કમને ઉલ્લેખ કરવામાં આવ્યું છે, ત્યાં (૧) મસ્તક (૨) વક્ષસ્થળ-(છાતી) (૩) પીઠ (૪-૫) બંને હાથ (૨) પેટ અને (૭-૮) બંને પગ આ આઠ અંગ કહેવાય છે. આંગળીઓ, જીભ, આંખ, કાન, નાક વગેરે ઉપાંગ કહેવાય છે છા 'वीसईठाणाराहणेण तित्थयरत्त" સૂત્રાર્થ—વાસ સ્થાનેની આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે માટે તત્વાર્થદીપિકા–વસ સ્થાને અર્થાત્ બેલનું આરાધન કરવાથી તીર્થકર નામક શુભનામ કર્મ બંધાય છે. આ વિસ સ્થાનક નિમ્નલિખિત છે– [, (૧) અહંત ભગવાન પ્રત્યે વાત્સલ્યભાવ હોવો, અરિહંત ભગવાનના ગુણગ્રામ કરવા. ૨) સિદ્ધ ભગવાન પ્રત્યે પ્રેમભાવ હોવો (૩) પ્રવચન પ્રત્યે વાત્સલ્ય (૪) ગુરુ પ્રત્યે પ્રેમ (૫) ઘરડાં પ્રત્યે આદર–પ્રેમ (૬) બહુશ્રુત અર્થાત્ વિવિધશાના જ્ઞાતા પ્રત્યે વાત્સલ્ય (૭) તપસ્વીજને પ્રત્યે વત્સલતા અર્થાત એમનાં વાસ્તવિક ગુણનું કીર્તન કરવા રૂપ ભક્તિ હેવી, તથા (૮) એમના જ્ઞાનમાં નિરન્તર ઉપગ રાખ (૯) દર્શન અથવા નિર્મળ તત્ત્વશ્રદ્ધા હોવી (૧૦) દેવ તથા ગુરુની પ્રતિ વિનયભાવ હવે (૧૧) બંને સમયમાં આવશ્યક ક્રિયા કરવી (૧૨) શીલવત પ્રત્યાખ્યાનને નિર્મળપણે પાળવા (૧૩) ક્ષણ લવ વગેરે કાળોમાં પ્રમાદને ત્યાગ કરી શુભ ધ્યાન ચિંતવવું (૧૪) બાર પ્રકારની તપશ્ચર્યા આરાધવી (૧૫) દાન આપવું. બીજા કોઈને ભયભીત કરી રહ્યા હોય અથવા માર મારતા હોય અથવા કેઈ કારણે કેઈ મરી રહ્યો હોય તે તેની રક્ષા કરવી. આ અભયદાન અને કરુણાદાનનું ઉપલક્ષણસૂચક છે. સુપાત્રોને દાન આપવું અર્થાત્ મહાવ્રતધારી તથા પ્રતિભાધારી શ્રાવકોને દાન આપવું અર્થાત શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધસંઘને સુખશાતા ઉપજાવવી (૧૬) વૈયાવૃત્ય આચાર્ય વગેરેની સુશ્રષા કરવી (૧૭) સમાધિ-સમસ્ત જીવોને સુખશાંતિ ઉપજાવવી (૧૮) નિત્ય નવું શીખવું. (૧૯) મૃતભક્તિ-જિનપ્રતિપાદિત આગમાં અનુરાગ રાખ (૨૦) પ્રવચન-પ્રભાવના-પ્રચુર ભવ્ય
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy