SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ શબ્દ આદિ પણ પુદ્ગલના જ ભેદ હેવાનું નિરૂપણ સૂ. ૨૦૧૭ છે. ઘાસ તથા પાંદડાની જેમ વાયુ દ્વારા પ્રેરિત થાય છે. દીપકની જેમ બધી દિશાઓમાં ગ્રહણ કરી શકાય છે, તારાગણની જેમ અભિભૂત થાય છે અને સૂર્યમન્ડલની જેમ બીજાને અભિભવ કરે છે. તાત્પર્ય એ છે કે જેમ સૂર્યના પ્રકાશથી તારાઓને પ્રકાશ સંતાઈ જાય છે આથી તે મૂત્ત છે એવી જ રીતે મંદ શબ્દ તીવ્ર શબ્દ દ્વારા અભિભૂત થઈ જાય છે એથી શબ્દ મૂર્ત છે. આ બધા હેતુઓથી એ સાબીત થાય છે કે શબ્દ પુદગલ દ્રવ્યને પર્યાય છે. પુદગલદ્રવ્યને પર્યાય હોવાના કારણે તેનું મૂર્તત્વ પણ સિદ્ધ છે. આવી સ્થિતિમાં વૈશેષિકાએ શબ્દને આકાશને જે ગુણ માને છે તે યોગ્ય નથી, મૂત્ત શબ્દ અમૂર્ત આકાશને ગુણ હોઈ શકે નહીં જેમ કે રૂપ આદિ આકાશના ગુણ નથી. સત્ય એ જ છે કે શબ્દ પુદ્ગલનું જ પરિણામ છે. પરિણામ પરિણામીથી અથવ પર્યાય દ્રવ્યથી કથંચિત ભિન્ન અને કવચિત્ અભિન્ન હોય છે આથી શબ્દને પણ પુદ્ગલ દ્રવ્યથી કવચિત ભિન્ન અને કવચિત્ અભિન્ન માનવો જોઈએ. , આનાથી એ સાબિત થયું કે ધ્વનિ રૂપ પરિણામથી અગર શ્રેત્રગ્રાહ્યરૂપથી પરિણામ પુદ્ગળ જ શબ્દ કહેવાય છે. પૌગલિક બન્ધ ત્રણ પ્રકારના છે પ્રગબ વિસસાબન્ધ અને મિશ્રબ. એક વસ્તુનું બીજી વસ્તુ સાથે મળી જવું ચોંટી જવું તેને બંધ કહે છે. જીવના વ્યાપારથી ઉત્પન્ન થતો બંધ પ્રાયોગિક બન્ધ કહેવાય છે જેમ ઔદારિક શરીર અથવા લાખ અને કાષ્ઠને બંધ સ્વભાવથી જીવના પ્રયોગ વગર જ થનાર બંધ વિસસા કહેવાય છે.” વિસસાબંધ બે પ્રકારના છે સાદિ અને અનાદિ વિદ્યુત. ઉલ્કા, મઘ, અગ્નિ, ઈન્દ્રધનુષ્ય વગેરેમાં વિષય ગુણવાળા પરમાણુઓનાં કારણે જે સ્કન્ધ રૂપ પર્યાની ઉત્પત્તિ થાય છે તે સાદિ વિસસાબંધ છે. ધર્મ અધર્મ અને આકાશદ્રવ્ય અનાદિ કાળથી સ્વભાવથી જ પરસ્પર સમ્બદ્ધ છે. તેમને બંધ અનાદિ વિસસાબન્ધ કહેવાય છે. મિશ્રબન્ધ ઉપર્યુક્ત બને કારણેથી અર્થાત્ જીવના વ્યાપાર અને સ્વભાવથી થાય છે. તે જીવના વ્યાપારથી સહતિ અચેતન દ્રવ્યની પરિણતિ છે. સ્તંભ આદિ કુંભ આદિ મિશ્રબન્ધના અન્તર્ગત છે. મિશ્રમધમાં બંનેની પ્રધાનતા હોય છે. એવી રીતે પહેલાં ને કે બન્દના બે ભેદ કહેવામાં આવ્યા છે તે પણ કિંચિત્ વિશેષ દર્શાવવા માટે અત્રે ત્રણ ભેદને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ' એવી જ રીતે સૂફમત્વ પણ પુદ્ગલનું જ પરિણામ છે તે બે પ્રકારનું હોય છે અન્ય અને આપેક્ષિક તેનું કથન પહેલા કરી દેવામાં આવ્યું છે અહીં કંઈક વિશેષતા કહીએ છીએજે સૂક્ષમ અન્તિમ હોય તે અન્ય કહેવાય છે. અન્ય સૂત્વ પરમાણુમાં જ મળી આવે છે કારણ કે પરમાણું જ બધાથી અધિક સૂક્ષ્મ છે તેથી વધુ સૂક્ષમત્વ કોઈ અન્ય વસ્તુમાં હોતું નથી. જે સૂક્ષ્મત્ય કઈ બીજી વસ્તુની અપેક્ષાથી માનવામાં આવે છે તે અપેિક્ષિક કહેવાય છે જેવી રીતે પ્રયણુક સ્કન્ધ ચામુક સ્કન્ધની અપેક્ષા સૂક્ષ્મ છે. ગ્યણુક ચતુરણકની અપેક્ષા સૂક્ષમ છે એવી રીતે આપેક્ષિક સૂમત્વ અનેક પ્રકારનું હોય છે. આ બન્ને જ પ્રકારના સૂત્ર પગલિક જ છે. સ્થૂલત્વ પણ એ જ પ્રકારે બે જાતના છે અત્ય અને અપેક્ષિકો અન્ય સ્થૂલત્વ સર્વ લેકવ્યાપી અચિત્ત મહાત્કંધમાં જ મળે છે કેમકે આનાથી વધારે બીજા કેઈ પદય હતા
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy