SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને આ પ્રકારે કાકાશના એક પ્રદેશમાં અનેક જીના અનેક પ્રદેશનાં અવગાહ છે. ઢાંકણા વગરને દીવો તેટલા જ આકાશપ્રદેશને વ્યાપ્ત કરે છે જેટલાં તેના અવયવ હેય તે સંપૂર્ણ લેકને પ્રકાશિત કરી શકતું નથી પરંતુ આત્મા સમુઘાતના સમયે સમસ્ત લેકમાં વ્યાપ્ત થઈ જાય છે. સિદ્ધ થયા પછી જીવની અંતિમ શરીરથી ત્રિભાગ ન્યૂન અવગાહના રહે છે, ત્રીજો ભાગ શરીરના છિદ્રોની પૂર્તિમાં લાગી જાય છે પરંતુ સિદ્ધ જીવોને આકાર તે જ રહે છે જે આકાર મુક્તિના સમયે શરીરને હોય છે. આ રીતે ધર્મ, અધમ આકાશ તથા જીને પરસ્પરમાં તથા પુદ્ગલેમાં અવગાહનાને વિરોધ નથી કારણ કે તે અમૂર્ત છે. આથી ધર્મ, અધમ આકાશ અને જીવનું અમૂર્ત હોવાના કારણે પરસ્પરમાં રહેવું વિરુદ્ધ નથી અને ન તે ધર્માદિનું પુદ્ગલમાં રહેવું વિરુદ્ધ છે કારણ કે તેમના જ નિમિત્તથી ગતિ સ્થિતિ તથા અવગાહના જોઈ શકાય છે અને આત્મા કર્મ પુદ્ગલેને વ્યાપ્ત કરે છે. ફલિતાર્થ એ છે કે જીવ સંકેચ વિસ્તાર સ્વભાવના કારણે મેટા અથવા નાના શરીરને ધારણ કરે છે. શંકા–જે જીવના પ્રદેશોમાં સંકોચ-વિસ્તારનું સામર્થ્ય છે તે સંપૂર્ણ કારણ મળવાથી જીવ સમસ્ત પ્રદેશને સંકેચી લઈ આકાશના એક જ પ્રદેશમાં કેમ સમાઈ જતું નથી? અવરોધ કરનારી કઈ વસ્તુ તે છે જ નહીં. આ સંજોગોમાં જેને અવગાહ લેકાકાશના અસંખ્યાતમાં ભાગ આદિમાં કેમ થાય છે ? એક પ્રદેશ વગેરેમાં કેમ થતું નથી ? સમાધાન–પ્રત્યેક સંસારી જીવને કાર્મણ શરીરની સાથે સંબંધ છે અને કામણ શરીર અનન્તાનન્ત પુદ્ગલેના સંચયથી બનેલું છે. આથી લેકના અસંખ્યાતા પ્રદેશમાં જ જીવને અવગાહ થઈ શકે છે, એકાદિ પ્રદેશમાં નહીં. એટલું ચોક્કસ છે કે સિદ્ધ જીવ ચરમ શરીરના ત્રીજા ભાગમાં અવગાહન કરે છે તેનું કારણ એ છે કે શરીરને ત્રીજો ભાગ છિદ્રમય–પલે છે. તે પિલાણની પૂતિમાં ત્રીજો ભાગ થઈ જાય છે. આ ત્રિભાગન્યૂનતા યુગનિરોધના સમયે જ થઈ જાય છે. આથી સિદ્ધજીવ પણ ત્રિભાગનૂન અવગાહનાવાળા હોય છે. જો કે સિદ્ધજીનું સહેજ વીર્ય નિરાવરણ થાય છે તે પણ તેમનામાં એ સામર્થ્ય નથી કે તેઓ તેથી અધિક અવગાહનાને સંકેચ કરી શકે. સંસારી જીવનું તે કહેવું જ શું? જીવને સ્વભાવ જ એવો છે કે આનાથી વધુ સંકોચ થઈ શક્તો નથી. અને સ્વભાવના વિષયમાં કઈ પ્રશ્ન કરી શકાતું નથી. આ સિવાય સંસારી જીવ કર્મયુક્ત હોવાથી વધુ સંકેચ થઈ શક્તા નથી, શંકા-કર્મયુક્ત જીવ કેમ અધિક સંકેચ કરી શકતું નથી ? સમાધાન–કારણકે તેઓ પ્રયત્ન કરતા નથી શંકા–શા માટે તેઓ પ્રયત્ન કરતા નથી ? સમાધાન–પ્રયત્ન કરવાનું કેઈ કારણ વિદ્યમાન નથી. અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે સંકુચિત આત્મપ્રદેશ જ્યારે વિકાસ પામે છે ત્યારે તેમને સમ્બન્ધ પરસ્પર તૂટી જતું નથી પરંતુ કમળની નાળના તંતુઓની જેમ તેઓ આપસમાં જોડાયેલા રહે છે. સમ્બન્ધ ન તૂટવાનું કારણ એ છે કે પ્રથમ તે તેઓ અમૂર્ત છે, બીજું તેઓ વિકાસશીળ છે અને ત્રીજું એકત્વ રૂપ પરિણામમાં પરિણત થાય છે. જીવની
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy