________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી
સૌજન્ય ન્યાયમૂર્તિ જરિયંસ રતિલાલભાઇ ભાયચંદભાઈ મહેતાનું
જીવન ઝરમર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતમાં ગરવી ગુજરાતનું સ્થાન અતિહાસિક અને ધાર્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ છે, ગુજરાતમાં પણ ઉત્તરગુજરાતનું સ્થાન ગૌરવશાળી રહ્યું છે. ઉત્તરગુજરાતના પાલનપુર નામના શહેરમાં સ્થાનકવાસી જૈન ધમ'માં અત્યંત શ્રદ્ધાવાન અને ધર્મ પરાયણુ એવા શ્રીમાન શ્રી ભાયચંદભાઈ ઝુમચંદભાઈ મહેતા નામના સગૃહસ્થ રહેતા હતા. તેમની ધમ પત્નીનું નામ મેનાબાઈ હતું.
પિતાશ્રી ભાયચંદભાઇ પાતે વકીલાતના ધંધામાં અગ્રગણ્ય બાહેાશ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા હતા, તેમજ પાલનપુરના જાહેર જીવનમાં પણ તેમનું સ્થાન વિશિષ્ઠ પ્રકારનું હતું.
માતુશ્રી મેનાબાઈ ધ પરાયણ, સેવાપરાયણ અને સંસ્કાર સંપન્ન હતા. જે તેમના સમાગમમાં આવ્યા હતા. તે આજે પણ તેમના સંસ્કારોનું સ્મરણ કરી રહ્યા છે. આવા સંસ્કારી, સેવાભાવી ધાર્મિક માતા પિતાને સતાનમાં પાંચ સુપુત્રો અને એ સુપુત્રીએ એમ સાત સતાના પ્રાપ્ત થયાં હતાં. તેમાં નામાંક્તિ એવા મેટા સુપુત્ર શ્રી મણીલાલભાઇ, બીજા સુપુત્ર શ્રી કાળીદાસભાઇ, ત્રીજા સુપુત્ર શ્રી બાપાલાલભાઇ, ચોથા સુપુત્ર શ્રી સૂરજમલભાઈ તથા પાંચમાં સુપુત્ર સૌથી નાના એવા શ્રી રતિલાલભાઇ અને પહેલા સુપુત્રી તારાબાઈ (પૂ. તારાબાઇ મહાસતીજી)અને બીજા સુપુત્રી અ.સૌ. માતીબહેન હતા.
આવા સુસંસ્કાર સુ’પન્ન માતા પિતાને ત્યાં શ્રી રતિભાઈના જન્મ સને ૧૯૦૨માં પંદરમી ઓગષ્ટે થયા હતા.
બાલ્યાવસ્થાથી જ સ્થાનકવાસી જૈન ધર્મને વારસા માતપિતા તરફથી શ્રી રતિભાઇને પ્રાપ્ત થયા હતા, જે ધાર્મિક સંસ્કારના સિંચનથી સેવાભાવના અને ધર્મભાવના પૂર બહારમાં તેઓશ્રીમાં ખીલો હતી.
બાલ્યકાળમાં પ્રાથમિક અધ્યયન પૂરુ કરીને મુંબઈમાં ભરડા અને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યુ. સને ૧૯૧૮માં તેઓએ શાળાંત પરીક્ષા પસાર
For Private And Personal Use Only