SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૨) વડે નરકમાં જવાય છે. ધર્મધ્યાનવડે દેવલોકની પ્રાપ્તિ અને શુકલ ધ્યાનવડે નિર્વાણ પ્રાપ્ત થાય છે. આધ્યાનમાં મરણ પામેલે સાગરદત્ત, ભયંકર ભવસમુદ્રમાં અનેક ભવો ભમીને હે રાજન ! હમણાં તે તમારા પટ્ટપણે ઉત્પન્ન થાય છે. તેના મિત્ર જિનધર્મને જીવ હું છું. તે અમુક ભવમાં ભારે મિત્ર હતો. તેનું આયુષ્ય અત્યારે થોડું બાકી છે એમ ધારી તેને પ્રતિબોધવાને અવસર જાણી, અહીં મારું આગમન થયું છે. જે જિનેશ્વરનું મંદિર કરાવે” ઈત્યાદિ વચનો સાંભળી પૂર્વ ભવન અભ્યાસવાળાં તે વચનોથી તેને જાતિસ્મરણ થયું છે. પૂર્વના ભવોનું સ્મરણ થતાં તે ભવવાથી વિરક્ત થયો છે. તેને સમ્યકત્વ પરિણમ્યું છે. તેનું જ્ઞાન થયું છે. મારા વચનરૂપ અમૃતથી સિંચાયેલો આ અશ્વ આટલો બધો પ્રમેદ પામે છે. તે મહાપ્રભુનાં વચનો સાંભળી રાજાને ઘણે હર્ષ થયા. અવે પણ તે પ્રભુ પાસે અણુસણું અંગીકાર કર્યું. રાજા પણ પરિવાર સહિત ઘણું હર્ષથી નિરંતર તેને મહેચ્છવ કરવા લાગ્યું. અશ્વ પણ આત્મભાવમાં સાવધાન થયે, વારંવાર તે મહાપ્રભુનું મુખ જેવા લાગ્યા. ઉ૯લસિત કર્ણપટથી પ્રભુનાં વચનામૃત સાંભળવા લાગ્યો, ઇત્યાદિ શુભ ભાવમાં અવશેષ પન્નર દિવસનું આયુષ્ય પૂર્ણ કરી પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં તે અશ્વ મરણ પામી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવપ ઉત્પન્ન થયે. દેવ થવા પછી તરત જ અવધિજ્ઞાનના પ્રયોગથી તેણે પિતાનો અશ્વને પાછલો ભવ દઠે. જિનેશ્વરને કરેલો મહાન ઉપગાર સ્મરણ થતાં તે તત્કાળ મહાપ્રભુ પાસે આવ્યા. આવતાં જ નાના પ્રકારના મણિ, રત્ન, કનક, પુષ્પાદિની વૃષ્ટિ કરી તે પ્રભુના ચરણારવિંદમાં નમી પડે. ભકિતભાવની લાગણીપૂર્વક, વીણા, વેણુ, મૃદંગ વિગેરે દિવ્ય વાજીવડે, ઉત્તમ ગીત, નૃત્ય કરી તે પ્રભુની આ પ્રમાણે For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy