SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) આસપાસમાં વૃક્ષે ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયા. આ અગ્નિ પાસેથી કેવી રીતે કામ લેવું ? અનાજ કેમ પેદા કરવું? અને પકાવવું વિગેરે ક્રિયાઓમાં, રીષભદેવજીએ લોકોને માહિતગાર કર્યા. તે વખતના વિદ્યમાન લોકોમાં, જ્ઞાનબળે સર્વથી અધિક રીષભદેવજીને જાણ, યુગલિકેએ તેમના પગના જમણું અંગૂઠા ઉપર પાણી રેડી, રાજ્યાભિષેક કરી પિતાના રાજાપણે સ્થાપન કર્યા. રીષભદેવજીએ પિતાની બુદ્ધિબળથી નીતિને માર્ગ સ્થાપન કર્યો. ભૂખે મરતા અને દુઃખી થતાં લોકોને તે, તે જાતના એગ્ય ઉપાય બતાવી સુખી કર્યા, બહેન ભાઈને આપસમાં થતો વિવાહ તેમણે બંધ કર્યો. ટૂંકામાં કહીએ તે આ ભારતભૂમિ ઉપરથી અજ્ઞાનતા દૂર કરવાને મજબૂત પાયે તેમણે નાખે. આ વ્યવહારનીતિ સ્થાપવામાં અને તેને અમલમાં મૂકાવવાના પ્રયાસમાં તેમને ઘણે વખત વ્યતીત કરે પો . આ અરસામાં તેમને બે સ્ત્રીઓથી સે પુત્રો અને બે પુત્રીઓની સંતતી થઈ હતી, તે સર્વને તેમણે અનેક કળામાં કુશળ કર્યા હતાં. સ્ત્રીઓમાં જ્ઞાનને ફેલા કરવા માટે પોતાની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીધર્મને એગ્ય તમામ કળાઓમાં પ્રવીણ કરી. આ પ્રમાણે નીતિથી ભરપૂર વ્યવહારમા સ્થાપન કરી, આભજિંદગી ઉચ્ચ સ્થિતિમાં લાવવાની ઇચ્છાથી ભરતાદિ સે પુત્રોને રાજય વહેચી આપી પોતે પ્રમાણપણું (ત્યાગમાર્ગ) અંગીકાર કર્યું. - વ્યવહાર માર્ગ ભલે સુખરૂપ થાઓ તથાપિ આત્માની ઉચ્ચ સ્થિતિ માટે તો પરમાર્થ માર્ગની જરૂર છે જ. નીતિમાર્ગથી લેકે વ્યવહારમાગમાં સુખી થાય છે પણ આત્મભાવમાં તે સુખી નથી જબ તેઓને જન્મ મરણના ફેરાઓ કરવા પડે છે જ. સંયોગ વિયોગ દુઃખરૂપ અનુભવાય છે અને શારીરિક કે માનસિક પીડાઓ ત્રાસ આપે છે જ, આ સર્વ શાંતિ આત્માની ઉચ્ચદશામાં થાય છે. તે ઉચ્ચકક્ષા For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy