SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) કારણપણે છે. એટલે બીજા કોઈ પણ પુરુષને ન સોંપતાં તમારા ઉપરના દઢ વિશ્વાસથી આ મારી પુત્રી હું તમને સોંપુ છું. તે સુખ શાંતિથી ભરૂચ પહોંચે, તેની કાળજી હવે તમારે જ કરવાની છે. રીષભદત્ત શ્રાવકે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! આપને રાજપુત્રીના સંબંધમાં ભલામણ કરવાની કોઈ પણ જરૂર નથી. ગુણવાન મનુષ્ય પોતાના ગુણોથી જ સર્વત્ર મનાય છે અને પૂજાય છે. અરણ્યમાં પેદા થવા છતાં તે સુગંધી પુષ્પ દેવોના પણ મસ્તક ઉપર ચડે છે, ત્યારે પિતાના શરીરથી જ પેદા થયેલો પણ નિર્ગુણ મેલને મનુષ્યો દૂર ફેંકી દે છે. આપની પુત્રી દઢ શિયળરૂપ, વજ કવચથી અવગુંઠિત છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી દુષ્ટ ઉપસર્ગોને દૂર કરે તેમ છે. સમગ્ર તને જાણનારી છે. વિષયથી વિરક્તતા પામેલી છે અને ઉત્તમ ધર્મમાં આસકત હેવાથી પોતે જ દેવતાને સમૂહને પણ વંદનીય છે. તેમાં વળી આ ઉત્તમ શીયળગુણસંપન્ન, ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી શીયળવતી, તે તમારી પુત્રીની મદદગાર છે. એટલે રાજપુત્રીને કોઈ પણ પ્રકારની અડચણ નહિ આવે, એ મારી ચેસ ખત્રી છે. જ્યારે જિતશત્રુ રાજા, પોતાની ભાણેજીનું સિંહલપમાં રહે વાનું અને ત્યાંથી સુખશાંતિએ પાછું પોતાના શહેરમાં આવવાનું સાંભળશે ત્યારે સુકૃતના પ્રથમ ઉપચાર તુલ્ય આપના ઉપર તે રાજ ઘણો જ પ્રસન્ન થશે અને સ્નેહ ધારણ કરશે, મ ટે મહારાજા ! સુદશેનાના સંબંધમાં આપ બીલકુલ ચિંતા ન કરશે. જિતશત્રુ રાજા ધર્મમાં તત્પર, કૃતજ્ઞ અને સ્વધર્મીમાઓનું વાત્સલ્ય કરનાર જેની રાજા છે. વળી આ સેવકને પણ આપ જે આજ્ઞા કરશે તે કરવાને માટે તૈયાર છે. રાજાએ શીળવતીના સન્મુખ નજર કરી ઘણું પ્રણયથી જણાવ્યું. શીળવતી ! આ સર્વ કાર્ય તમારું છે. મારી પુત્રી હું તમને સંપુ છું. તેના For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy