________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાની પહેલાં પણ સિધ્ધાંત મેજુદ હતા, અને તેની રચના પહેલવહેલી મહાવીરના ગણધરેએ કરી હતી, તે વાતને પાકે વિશ્વાસ-નિશ્ચય થાય. સિદ્ધાંત-ગ્રંથો અને તેની ટીકાએમાંથી પણ આ જ વાત મળે છે.
સિદ્ધાંત-ગ્રંથોની રચનાલી, પ્રશ્નો અને ઉત્તરે લખવાની રીતિ, આખાએ સાહિત્યને કેમ, અને બીજી અનેક બાબતો કે જે વિસ્તારના ભયથી અહિ મૂકી દઉં છું, તે બધી વાતો ઉપરના કથનની મજબુત રીતે પુષ્ટ કરે છે. ઉપરનાં પ્રમાણેનાં સમર્થનમાં સૈધ્ધ
સૂત્રોનાં પ્રમાણ – બૌદ્ધોના “મઝિમનિકાય” નામના ગ્રંથમાં મહાવીરના શિષ્ય ઉપાલી અને ચૈતમ બુદ્ધ વચ્ચે જે ચર્ચા થઈ હતી, તેનું વર્ણન છે. જેકોબીએ આ ચર્ચાને આ પ્રમાણે લખી છે – નિમૅથ ઉપાલી કહે છે કે દંડ ત્રણ પ્રકારના હોય છે. (૧) કાયાને દંડ, (૨) વચનનો દંડ, (૩) અને ત્રીજો મનનો દંડ. સ્થાનાંગ સૂત્રના ૩ જા ઉદ્દેશામાં જે જૈન સિદ્ધાંત આપેલ છે, તે બરાબર આ મુજબ જ છે.
આ અને બીજા જૈન સિદ્ધાંતો, સૂત્રોમાં પ્રાયઃ તે જ શબ્દોમાં લખેલા મળે છે કે જે શબ્દોમાં તે અત્યારના જૈન સૂત્રોમાં આપેલાં છે. આ વાત બહુ જ અગત્યની છે, અને તે ઉપરથી અંગસૂત્રોની પ્રાચીનતા સંબધીની દરેક શંકા દૂર થઈ જાય છે. આ એકજ વાતથી વિરોધીઓની બધી દલીલ રદ થઈ જાય છે.
For Private and Personal Use Only