________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદી આવૃત્તિની પ્રસ્તાવના.
સાધારણ રીતે જૈનધર્મ અને ખાસ કરીને વેતાંબર (સાધુ માગી) સ્થાનકવાસી જૈનેના સંબંધમાં આમ જનતામાં ઘણી જ ગેર સમજુતી ફેલાએલ માલુમ પડે છે. આ પુસ્તકમાં મેં જેનધર્મની ત્રણ મુખ્ય શાખાઓના ઈતિહાસ પર દરેક પ્રકારને પ્રકાશ નાખવાને પ્રયત્ન કરેલ છે. પૂરેપૂરી ખાત્રીવાળી દલીલથી મેં અહિં સાબિત કર્યું છે કે–સ્થાનકવાસી જૈન શુદ્ધ અને અસલ જૈનધર્મના સાચા અને મૌલિક અનુયાયી ( followers છે. અને દિગંબર તથા બવે. મૂર્તિપૂજક જૈને તે અસલ જૈનધર્મની વિકૃત થએલી શાખાઓ જ છે.
આ પુસ્તકમાં મેં તદ્દન નિષ્પક્ષ ભાવથી આ વિષયની ચર્ચા કરી છે, તે પણ સંભવ છે કે-તેમ કરતાં અજાણ પણે કોઈ એવી વાતો કહેવાઈ ગઈ હોય, જે બીજા સંપ્રદાની ભાવના દુઃખવવાવાળી હેય; કદાચ એમ થઈ ગયું હોય તે તે એક અનિવાર્યતા માત્ર છે-કારણ કે વિષયનું પ્રતિપાદન કરવામાં તેનો ખુલાસો કરવાની ખાસ જરૂર હતી. તેથી જે જે વાતે જે જે ભાવમાં લખાએલ છે, તેજ ભાવમાં વાચક વર્ગ ગ્રહણ કરે.
આ પુસ્તકમાં સંતોષકારક પ્રમાણેથી મેં એ પણ સિદ્ધ કરી આપેલ છે કે-જેન ધર્મ એ ઘણેજ પ્રાચીન (જુને-અસલી) ધર્મ છે, એટલું જ નહિ પણ જુના કહેવાતા એવા પ્રાચીન વેદ ધર્મથી પણ પ્રાચીન છે. મારા આ
For Private and Personal Use Only