________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાણાસુરની સમૃદ્ધિ
કોઈ પ્રકારની ઉન્નતિ બાકી રહેતી નથી, પરંતુ મોક્ષ સુધી સર્વ પ્રકારનો ઉત્કર્ષ તે સાધી લે છે. આપની આગળ “શિવની અવનતિ પણ ઉન્નતિનું કારણ બને છે’ એવી અતિશયોકિત સાથે આ શ્લોકમાં અર્થાતરન્યાસ અલંકાર મૂક્યો છે અને તે દ્વારા સ્તોત્રકારે ભગવાન શંકરની સર્વોત્કૃષ્ટતા તથા અચિત્ય મહિમા સૂચવેલ છે. બાણાસુરે ઇંદ્રના કરતાં વિશેષ સંપત્તિ સંપાદન કરી તેમાં જરાયે વિસ્મય પામવા જેવું નથી; કેમ કે તે તમારી સેવામાં તત્પર રહેતો હતો. એમ કહી સ્તોત્રકારે ઈશ્વરનો પ્રભાવ અને સર્વોત્કૃષ્ટતા અહીં જણાવેલ છે.
[પ્રસંગોપાત્ત હવે બાણાસુરનો કેટલોક વૃત્તાંત કહીશું. બલિરાજાને બધા પુત્રમાં સૌથી મોટો પુત્ર બાણાસુર હતે. શોણિતપુર એની રાજધાની હતી. તે હજાર કમળો લઈ હમેશાં શંભુની પૂજા કરતો હતો. શંકરની કૃપાથી એને સહસ્ત્રાર્જુનની પેઠે હજાર ભુજાઓ મળી હતી અને રાવણની જેમ એણે ત્રણે લોકને વશ કર્યા હતા. સઘળા દેવો એના દાસ બન્યા હતા. ભગવાન શંકરે એને પોતાને વરદ પુત્ર ગણ્યો હતો, એટલું જ નહિ, પણ એના નગરનું પોતે જ રક્ષણ કરતા હતા. એ પ્રકારે શંકરની પૂર્ણ કૃપા હતી; છતાં એ વિનયનમ્ર રહી શક્યો નહિ. અતિશય ગર્વે એને ગાંડો કર્યો. બુદ્ધિ બગડી ગઈ અને એણે પોતાના બાહુઓની ખંજવાળ શમાવે એવો યોદ્ધો સદાશિવ પાસે માગ્યો. શંકરે કહ્યું કે, જ્યારે તારા ધ્વજસ્થંભ ઉપરનો મોર જમીન ઉપર પડી જશે અને ધ્વજ તૂટી પડશે, ત્યારે તારા બાહુઓનું જોર ભાંગનારો મહાન યોદ્ધો તને મળશે. પછી એની કન્યા ઉષા
For Private and Personal Use Only