________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
કર્તા વ્યાસમુનિ છે. તેમાં સર્વ ઉપનિષદોનું તાત્પર્ય સમાયેલું છે; તેથી તે તો જ્ઞાનથી ભરેલું છે. તેવી રીતે ધર્મશાસ્ત્ર જે સ્મૃતિઓ કહેવાય છે, તેમના કર્તા મનુ, યાજ્ઞવલ્કક્ય, અંગિરા, દક્ષ, સંવર્ન, શાતાતપ, પરાશર, ગૌતમ, હારીત, આપસ્તંબ, શુક્ર, બૃહસ્પતિ વગેરે દેવર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ છે. તે સર્વમાં વર્ણાશ્રમોના કાયિક, વાચિક અને માનસિક સર્વ ધર્મોનું બહુ બહુ પ્રકારે નિરૂપણ કરેલું છે; તેથી તે પણ અંત:કરણની શુદ્ધિ દ્વારા જ્ઞાનમાં જ પરિણમે છે.
હવે સાંખ્યશાસ્ત્રના કર્તા કપિલ મુનિ છે તેમાં પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરેલ છે, તેનું તાત્પર્ય પણ જ્ઞાનમાં જ છે. યોગશાસ્ત્રના કર્તા પતંજલિ છે; એમાં અષ્ટાંગયોગનું નિરૂપણ છે, એ પણ ચિત્તની એકાગ્રતા દ્વારા જ્ઞાનમાં જ પરિણામ લાવે છે. તે સિવાય બીજાં જે વૈષ્ણવતંત્ર અને શૈવતંત્રાદિ તંત્રશાસ્ત્રો છે, તે સર્વને પણ ધર્મશાસ્ત્રમાં જ સમાવેશ થાય છે, કેમ કે તેમાં પણ ઉપાસના વગેરે માનસિક ધર્મોનું નિરૂપણ કરેલું છે. એ પ્રમાણે સર્વ શાસ્ત્રોનું પ્રમાણ વેદાંતપ્રતિપાદ્ય એક પરમાત્મામાં જ થતું જોવામાં આવે છે. બીજી રીતે કહીએ તો તે તે શાસ્ત્રો વડે યોજાયેલા અનેક માર્ગો અંતે એક પરમાત્મામાં જ વિરામ પામે છે; છતાં એ પ્રમાણે તેમના તાત્પર્યને નહિ જાણનારા લોકો ચિજોગા માર્ગે જાય છે, તેથી સર્વને સીધા માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી, છતાં એમ ન માનવું કે, વાંકો માર્ગ લીધા પછી તેમને ઈશ્વરપ્રાપ્તિ થતી નથી! તેઓ પણ અંત:કરણની શુદ્ધિ કેળવીને સરસ માર્ગે જ આવી જાય છે ને અદ્વિતીય શુદ્ધ ચૈતન્યને પામે છે માટે હે પ્રભો! મનુષ્ય ગમે તે માર્ગને આકાય છે, પરંતુ તે સર્વને અંતે
For Private and Personal Use Only