________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુતણાં વચન તે અવગણી, ગૂંથીયા આપ મતજાલ રે, બહુ પરે લોક્ન ભોલવ્યા, નિંદીએ તે જંજાલ રે-ચેતન૦ ૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે, જેહ પરધન હરી હરખિયા, કીધલો કામઉન્માદ રે-ચેતન) ૧૨ જેહ ધન્ય ધાન્ય મૂર્છા ધરી, સેવિયા ચાર કષાય રે રાગને વૈષને વશ હુઆ, જે કિયો કલહઉપાય રે-ચેતન) ૧૩ જૂઠ જે આળ પરને દિયાં, જે કર્યો પિશુનતા પાપરે, રતિ અરતિ નિંદ માયામૃષા, વળીય મિથ્યાત્વ સંતાપરરે ચેતન૦ ૧૪ પાપ જે એવાં સેવિયાં, તેહ નિંદીએ ત્રિર્હ કાલ રે, સુકૃતઅનુમોદના કીજીએ, જિમ હોયે કર્મ વિસરાલ રેચેતન૦ ૧૫ વિશ્વઉપગાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે, તે ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે-ચેતન૦ ૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના ક્ષયથકી ઊપની જે રે, જેહ આચાર આચાર્યનો, ચરણવન સિંચવા મેહ રે-ચેતન૧૭ જેહ ઉવઝાયનો ગુણ ભલો, સૂત્ર સક્ઝાય પરિણામ રે, સાધુની જે વળી સાધુતા, મૂલ ઉત્તર ગુણધામ રે-ચેતન- ૧૮ (જે) વિરતિ દેશ શ્રાવતણી, જે સમકિત સદાચાર રે, સમકિતદેષ્ટિ સુર નરતણો, તેહ અનુમોદીએ સાર રે-ચેતન- ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણા, જેહ જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમક્તિબીજ નિરધાર રે ચેતન) ૨૦ પાપ નવિ તીવ્ર ભાવ કરે, જેહને નવિ ભવરાગરે, ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગચેતન૦ ૨૧
E શત્રુંજય સ્તવના
૭૯ 1
For Private And Personal Use Only