________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન૪
જાત્રા નવ્વાણું કરિયે વિમલગિરિ, જાત્રા નવ્વાણું કરિયે વિમલગિરિ... કરીએ તો ભવજલ તરિયે વિમલગિરિ.. જાત્રા.
પૂરવ નવાણું વાર શેત્રુંજાગિરિ, ઋષભજિણંદ સમોસરીયે; વિમલ૦ કોડી સહસ ભવ પાતક ત્રુટે, શત્રુંજય સામો ડગ ભરીયે વિમલ૦ ૧. સાત છટ્ઠ દોય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીયે ગિરિવરિયે; વિમલ૦ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીયે. વિમલ૦૨. પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીયે; વિમલ૦ ભૂમિસંથારો ને નારીતણો સંગ, દૂર થકી પરિહરિયે. વિમલ૦ ૩, સચિત્ત પરિહારીને એક્લઆહારી, ગુરૂ સાથે પદ ચરીયે; વિમલ૦ પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપપડલ વિખરીયે. વિમલ૦ ૪. કલિકાળે એ તીરથ મહોટું, પ્રવહણ જિમ ભરદરીયે; વિમલ૦ ઉત્તમ એ ગિરિવર સેવંતા ‘પદ્મ’ કહે ભવ તરીયે, વિમલગિરિ૦ ૫.
વન-પ
આંખડીયે હૈ મેં આજ, શત્રુંજ્ય દીઠો રે;
સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મુને મીઠો રે.
સફળ થયો મારા મનનો ઉમાહો, ભવનો સંશય ભાંગ્યો રે; નરક તિર્થંય ગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શ૦૧.
માનવ ભવને લાહો લીજે, દેહડી પાવન કીજે રે; સોના રૂપાના ફૂલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દિજે રે. શ૦ ૨. દૂધડે પખાડીને કેસર ઘોળી, શ્રી આદિશ્વર પૂજ્યા રે; શ્રી સિધ્ધાચલ નયણે જોતાં પાપ મેવાસી ધ્રૂજ્યા રે. શ૦ ૩.
શત્રુંજય સ્તવના
૫૭
For Private And Personal Use Only