________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિત શ્રી વીરવિજયજી કૃત
શ્રી સ્નાત્ર-પૂજા
સ્નાત્રપૂજાનાં સાધનો, સામગ્રીઓ સાધનો
(૧) ત્રણ સુંદર બાજોઠ અને ધ્વજ સહિત સિંહાસન (૨) સિંહાસન આગળ મૂકવાની પાટલી અગર બાજોઠ (૩) પ્રતિમાજીની નાસિકા સુધીનો ઊંચો ઘીનો દીવો (૪) કળશો (૫) વૃષભ કળશ (૬) દીપક (૭) ધૂપદાનું (૮) દર્પણ (૯) ઘંટડી (૧૦) પંખો (૧૧) ચામર (૧૨) કંકાવટી (૧૩) કુંડી (૧૪) આરતિ (૧૫) મંગળ દીવો (૧૬) થાળી (૧૭) કાંસાની થાળી તથા વેલણ.
સામગ્રીઓ
४०
(૧) નાડાછડી (૨) ત્રણ અંગપૂંછણાં (૩) એક પાટલું છણ (૪) જળ (પાણી) (૫-૬) દૂધ-દહીં (૭) થી (૮) સાકર (૯) કેશર (૧૦) બરાસ (૧૧) પુષ્પ (૧૨) અક્ષત (ચોખા) (૧૩) કંકુ (૧૪) નૈવેદ્ય (૧૫) ફળ (૧૬) માટી (૧૭) મીંઠું (૧૮) કપૂર (૧૯) ધૂપ (અગરબત્તી વિગેરે) (૨૦) રૂપાનાણું (૨૧) કુસુમાંજલિ (અક્ષતને શુદ્ધ જળથી ધોઈ તેમાં કેસર ભેળવું (૨૨) રાખડી (નાનાછડીના નાના નાના શુદ્ધ જળથી ધોએલા ટુકડા (૨૩) શ્રીફળ.
સ્નાત્ર ભણાવતાં પહેલાંની વિધિ
૧. પ્રથમ ત્રણ સુંદર બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું. પછી દરેકને એક છેડે નાડાછડી બાંધવી.
૨. પછી નીચેની બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથિયો કરી, ઉપર ચોખા પુરીને નાડાછડી બાંધેલું શ્રીફળ મૂકવું.
For Private And Personal Use Only
સ્નાત્રપૂજા