________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂઆકરણે પુણે, એગગુણે સયગુણં ચ પડિયાએ જિણભવBણ સહસ્સે, સંતગુણ, પાલણે હોઈ. ૧૪
(શ્રી શત્રુંજય ઉપર) પ્રભુ પ્રતિમાની પૂજા કરવાથી એકગણું, પ્રભુ પ્રતિમા ભરાવવાથી સોગણું, દેરાસર બંધાવવાથી હજારગણું અને તેનું રક્ષણ કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪
પડિયું ચેહર વા, સિહુંજ ગિરિર્સ મત્યએ કુણઈ, ભૂસુણ ભરહવાસ, વસઈ સગે નિરૂવગે. ૧૫
જે મનુષ્ય શ્રી શત્રુંજય ઉપર પ્રતિમા ભરાવે અથવા દહેરું બંધાવે તે ભરતક્ષેત્રનું રાજ્ય (ચક્રવર્તીપણું) ભોગવીને છેવટે સ્વર્ગમાં અને મોક્ષમાં વસે છે. ૧૫
નવકાર પોરિસીએ પુરિમડેંગાસણે ય આયામ; પુડુંરીયં ચ સરતો, ફલકંખી કુણઈ અભાદ્ધ. ૧૬ છઠ્ઠ-અમદસમ દુવલસાણમાસ અધ્ધમાસ ખવખાણે. તિગરણ સુદ્ધો લહઈ, સેતુજ સંભારતો અ. ૧૭
ઉત્તમફળની ઈચ્છાવાળો જે મનુષ્ય શ્રી પુંડરીકગિરિનું સ્મરણ કરતો થકો નવકારશી, પોરસી, પુરિમઢ, એકાસણું, બેલ, કે ઉપવાસ કરે તે અનુક્રમે છઠ્ઠ (બે ઉપવાસ) અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) દશમ (ચાર ઉપવાસ) દ્વાદશ (પાંચ ઉપવાસ) અર્ધમાસ પંદર ઉપવાસ) અને માસખમણ મહિનાના ઉપવાસ)નું ફળ પામે છે. ૧૬-૧૭
છટ્રેણં ભત્તેણં અપાણેણં તુ સત્ત જતાઈ, જો કુણઈ સેત્તેજે, તઈયભવે લહઈ સો મુર્ખ. ૧૮
જે ભવ્ય પ્રાણી ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજયની સાત યાત્રાઓ કરે તે ત્રીજે ભવે મોક્ષ પામે. ૧૮
E શત્રુંજય સ્તવના
૩૭
For Private And Personal Use Only