________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. યશા અને બાહુબલિ વિગેરેએ રમાણિક્યનાં બનાવીને તેની નિરંતર પૂજા કરેલી છે, આ ઉદામ રામાણિજ્યના સારથી બનેલું શાશ્વત પ્રતિમા જેવું પ્રતિબિંબ છે તે બ્રહ્મઢે બનાવેલું છે અને તેને બ્રહ્મદ્રોએ ચિરકાલ સુધી પિતાના દેવલોકમાં રાખીને પૂજેલું છે અને બીજાં આ બિંબે રામકૃષ્ણ કરાવીને પૂજેલાં છે. આ સર્વ બિબેમાંથી તને જે રૂચે તે મારી આજ્ઞાથી ગ્રહણ કર.” પછી તે રત શ્રાવક રજ, મણિ અને સુવર્ણમય બિંબ ગ્રહણ કરવાની ઈચ્છા કરશે એટલે અંબિકા કહેશે કે, “વત્સ! તેવા બિબ તું ગ્રહણ કર નહીં. સાંભળ-હવે આવનારા દુષમકાળમાં લેકે નિર્દય, સત્ય, શૌચ, અને દયારહિત તથા ગુરૂ દેવ અને ધર્મના નિદક થશે. વળી તે કાળમાં આ પૃથવીઉપર અન્યાયી, પરદ્રવ્ય અને પરસ્ત્રીમાં આદર કરનારા અને ચરવૃત્તિવાળા તેજી રાજાઓ થશે. તેથી કોઈવાર હું ક્યાંક ગઈ હઈશ એવે સમયે શૂન્ય થયેલા જિનમંદિરમાં આવીને તે અમર્યાદ લેકે લેભથી એવા બિબની આશાતના કરશે. તેથી જેમ લક્ષ્મી ન હોય તે કરતાં પ્રાપ્ત થઈને સહસા ચાલી જાય તે વધારે દુઃખ થાય છે તેમ ઉદ્ધાર કરતાં હાનિ થવાથી તેને વિશેષ પશ્ચાત્તાપ થઈ પડશે. માટે હે ભદ્ર! આ બ્રહેંદ્રનું રચેલું રિથરબિંબ ગ્રહણ કર; તે વિધુત, અગ્નિ, જળ, લેહમય શસ્ત્ર અને વજથી પણ અભંગુર છે. આ પ્રમાણે કહી તેની કાંતિ કે જે બાર યોજનસુધી પ્રસરતી હતી, તેને માયાથી ઢાંકીને માત્ર સામાન્ય પાષાણ જેવું કરી દેશે. પછી સૂક્ષ્મ તંતુઓથી તેને બાંધીને અંબિકા શેઠને કહેશે કે, “સ્થાનવિના પણ જ્યાં તું મૂકીશ ત્યાં આબિંબ પર્વતની જેમ સ્થિર થઈ રહેશે, ” એ પ્રમાણે સમજાવી તે બિંબ આપીને અંબિકા ચાલ્યાં જશે અને રસશેઠબીજી કોઈ પણ દિશાતરફ અવકન કર્યા સિવાય તે બિંબને લઈને ચાલશે. અનુક્રમે માર્ગમાં અખલિત ચરણે રૂની જેમ તે બિંબને વહન કરતો રશેઠ પ્રાસાદના દ્વાર પાસે આવી આ પ્રમાણે ચિંતા કરશે. આ બિંબને અહીં રાખી મધ્યે રહેલા પૂર્વ બિંબના લેપને પડેલા ઢગલાને લઈ લઈને પછી અંદર રથાપન કરું. એ વિચાર કરી તે ઠેકાણે તે બિંબને મૂકી અંદર જઈ બધું પ્રમાઈને તે હર્ષથી બિબને લેવા આવશે, તેવામાં ત્યાં જ મેરૂની જેમ નિશ્ચળ થયેલ જોવામાં આવશે. જયારે કોટી મનુષ્યોથી પણ તે ચલિત થશે નહીં ત્યારે તે પાછો પૂર્વની જેમ રિથર થઈને તીવ્ર તપસ્યા કરશે. તેને સાત ઉપવાસ થશે ત્યારે અંબિકા તેને દર્શન આપશે અને કહેશે કે, “હે વત્સ! રવેચ્છાએ આ શું કરે છે? આ બિંબને જ્યાં તું મૂકીશ, ત્યાં જ સ્થિર રહેશે. ” એવું મારું વચન ભુલી જઈને એ શાશ્વતબિંબને તેં શામાટે અહીં મૂકયું? હવે તું વૃથા પ્રયાસ કર નહીં, આ બિંબ અહીં ધ્રુવ અને
For Private and Personal Use Only