SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મો.] ભીમસેનના ગિરનાર ઉપર મોક્ષ. ૩૪૨ "" ત્યાં એક વિદ્યાધરને જોઇ તેણે પૂછ્યું “તમે ક્યાંથી આવા છે?” વિદ્યાધર બાલ્યા “હે રાજા ! શત્રુંજય અને ઉજ્જયંત (ગિરનાર) ગિરિપર રહેલા પ્રભુને નમસ્કાર કરીને હું અહીં જિનેશ્વરને નમવા માટે આવેલા છું.” તે વિદ્યાધરનાં વચનથી રાજાને મરણ થયું કે મને ધિક્કાર છે કે હું રૈવતગિરિપર જઈને પ્રભુને નમતે નથી. એવી ચિંતા કરતા રાજા પેાતાના અનુજબંધુ જયસેનને રાજ્ય આપી તત્કાળ અપ પરિવાર અને સમૃદ્ધિ સાથે લઈ રૈવતગિરિ તરફ ચાલ્યું. અનુક્રમે પ્રથમ શત્રુંજયગિરિપર જઇ ત્યાં શ્રી આદિનાથ પ્રભુને નમી, પૂજી અને અઠ્ઠાઈ ઉત્સવ કરી ત્યાંથી રૈવતગિરિપર ગયા; ત્યાં કપૂર, કેશર, ઉત્તમ ચંદન અને નંદનવનમાં થયેલાં વિવિધ પુષ્પાથી શ્રીનેમિનાથની પૂજા કરી. સર્વે યાચકાના અર્થને પૂરતા ભીમસેને દાન, શીલ, તપ અને ભાવના ભેદથી પ્રવાઁ ત્યાં રહીને ચાર વર્ષ નિર્ગમન કર્યાં. પછી પ્રમાદરહિત એવા તેમણે જ્ઞાનચંદ્ર મુનિનીપાસે મુક્તિને આપનારી દીક્ષા ગ્રહણ કરી. એ ભીમસેન રાજા આ મહામુનિ થઈને અહીં તપસ્યા કરે છે. જેણે પૂર્વે મહાપાપ કર્યાં છે એવા આ રાજમુનિ આ ગિરનાર ઉપરજ રહીને આજથી આઠમે દિવસે કેવળી થઈ મુક્તિપદને પામશે. હૈ દેવતાઓ! અમે અર્બુદાચળ (આબુ) ગયા હતા, ત્યાં જ્ઞાનચંદ્ર મુનિના મુખથી આ પર્વતરાજનું આ પ્રમાણે માહાત્મ્ય સાંભળ્યું હતું. મહાપાપના કરનારા અને મહા દુષ્ટ એવા કુષ્ટાદિક રાગવાળા પુરૂષા આ રૈવતગિરિના સેવનથી સર્વ સુખના ભાજન થાય છે. આ ગિરિઉપર ભાવથી જો અલ્પદાન કર્યું હાય તેપણ તે બહુ થઈ અતિ વૃદ્ધિ પામીને મુક્તિરૂપી સ્રીની પ્રાપ્તિ કરે છે. આ ગિરિપર દ્રબ્યાભિલાષીને દ્રવ્ય, સુખાભિલાષીને સુખ, રાજ્યાભિલાષીને રાજ્ય અને ચંદ્રપણાને ઇચ્છનારને ઇંદ્રપણું પ્રાપ્ત થાયછે. જે તીર્થને શ્રીનેમિનાથ પ્રભુએ તે પણ આશ્રિત કરેલું છે, તે સર્વ પાપહારી તીર્થને બીજા કયા પુરૂષા ન સેવે ? આ પ્રમાણે માહેંદ્ર ઇંદ્રનાં મુખથી સાંભળીને સર્વ ભક્તિપરાયણ દેવતા વિધિથી જિનપૂજાદિ કરી પાતપેાતાને સ્થાનકે ગયા. આ કથા કહીને શ્રીવીરપ્રભુ ઇંદ્રને કહે છે કે હે ઇંદ્ર ! એવી રીતે ધણા મુનિવરા આ તીર્થ ઉપર પેાતાનાં પાપકર્મને ખપાવી મુક્તિપદને પામ્યા છે. એ તીર્થ ભવિષ્યમાં થનારા શ્રીનેમિનાથ પ્રભુના આશ્રયભૂત થવાનું હોવાથી ભરત રાજાએ આ અવસર્પિણી કાળમાં પ્રકાશિત કરેલું છે. રૈવતગિરિના મંડનરૂપ એ શ્રીનેમિનાથપ્રભુ હરિવંશમાં થયેલા છે, તેથી પ્રથમ તે વંશનું સંક્ષેપમાં વર્ણન કરી સંભળાવું છું.હરિવંશાત્પત્તિ. તે તે પુરૂષરત્નાની ખાણુપ, અનેક પર્વને ધરનાર અને કલ્યાણની For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy