________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯ મો. ]
રામના વનવાસ, દશરથી દીક્ષા.
૩૦૭
યાત્રા કરીને હર્ષસહિત મેાટા ઉત્સવવાળા પેાતાના નગરમાં પાછા આવ્યા. પછી સંસારથી ઉદ્વેગ પામી સભામાં આવીને દશરથરાજાએ રાજ્ય આપવા માટે પેાતાના પુત્રોને બાલાવ્યા, એટલે તત્કાળ તેઓએ આવી પિતાને નમકાર કર્યાં.
એ સમયે મહા કપટી કૈકેયીએ ચોગ્ય અવસર જાણી પેાતાને પૂર્વે આપેલાં બે વરદાન ભક્તિપૂર્વક રાજાપાસે માગ્યાં. તે એવી રીતે કે “હે સ્વામી ! મારા પુત્ર ભરતને રાજ્ય આપે। અને કુમાર શ્રી રામના લક્ષ્મણની સાથે ચૌદ વર્ષસુધી અરણ્યમાં વાસ કરાવો. ” અકાળે વાપાત જેવું આ વચન સાંભળી દશરથરાજાને મૂર્છા આવી. પછી ઘેાડીવારે સંજ્ઞા મેળવીને તે મનમાં ઉદ્વેગ કરવા લાગ્યા. તે ખબર સાંભળીને સીતા અને લક્ષ્મણસહિત રામે પિતાની પાસે આવી નમરકાર કર્યાં, અને લોકોએ અનુમેદન આપવાથી તત્કાળ તેએ વનવાસ માટે ચાલ્યા. તેમના જવાથી જેમ મતકવિના શરીર, નાસિકાવિના મુખશાભા, તારા ( કીકી ) વિના નેત્ર, પત્રવિના વૃક્ષ, જળવિના તળાવડી, દેવવગર ચૈત્ય, વિનયવિના વિદ્યા, સિંહવિના ગુફા, સૂર્ય કે ચંદ્રવિના આકાશ અને મષીરેખાવગર ચિત્રપંક્તિ ન શેભે તેમ અયાધ્યાનગરી શેાભારહિત થઈ ગઈ. પવિત્ર હૃદયવાળા દશરથે તેા રાજ્યઉપર ભરતને બેસારી સત્યભૂતિ મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું.
""
અરણ્યમાં પ્રવાસ કરતાં રામચંદ્ર વિગેરે માર્ગમાં એક ગંભીર નદી આવી તે ઉતરીને વડના વૃક્ષની નીચે બેઠા. ત્યાં રામચંદ્રે લક્ષ્મણને કહ્યું “ભાઈ લક્ષ્મણ ! આ દેશ કેાઈના ભયથી હમણાજ ઉજડ થયેલા જણાય છે, કેમકે વૃક્ષો ખધાં રસસહિત છે અને ધાન્યનાં ખળાં ધાન્યવડે ભરેલાં પડ્યાં છે.” આ પ્રમાણે બન્ને ભાઇએ વાર્તા કરેછે તેવામાં ત્યાં કાઇ પુરૂષ આવ્યા, તેને ઉદાર વાણીવાળા રામે તે દેશ ઉજડ થવાનું કારણ પૂછ્યું. તે પુરૂષ ખેલ્યો “ આ દેશના સિંહકણું નામે એક રાજા છે, તેને એવા ઉજજવળ નિયમ છે કે શ્રી અદ્વૈતદેવ અને સાધુ ગુરૂ વિના બીજા કાઇને નમસ્કાર કરવા નહીં.” તેનેા આવેા નિયમ સાંભળી સિંહેદર નામે તેના ઉપરી રાજા ક્રોધથી તેની ઉપર ચડી આવ્યો. તેના ભયથી સિંહકર્ણ દૂર નાશી ગયો. ત્યારથી આ દેશ ઉજડ થઈ ગયેલ છે. આ પ્રમાણે દેશ ઉજડ થવાના હેતુ સાંભળી પદ્મકુમારે ( રામે ) આદરથી સુમિત્રાના પુત્ર લક્ષ્મણની પાસે તત્કાળ તે શ્રાવક સિંહકર્ણને, સિંહેાદરના ભય દૂર કરાવીને આદરપૂર્વક તેનાં રાજ્યપર સ્થાપન કરાવ્યેા. ત્યાંથી રામ આગળ ચાલ્યા. ત્યાં એક સ્થાનકે આકાશમાંથી બે વિદ્યાધર મુનિ નીચે ઉતર્યાં. સીતાએ ભક્તિથી તેમને પ્રતિલાભિત ૧ આનો વિશેષ અધિકાર અમારા છપાવેલા જૈનરામાયણમાં છે. ભા. ક.
For Private and Personal Use Only