SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર્ગ ૮ મો.] અજીતનાથ ભગવંતનો જન્મ અને મહોત્સવ. ૨૫૯ લાંછિત, કનકવર્ણી અને જગમાં ઉદ્યોત કરનાર એક પવિત્ર પુત્રને જન્મ આપ્યા. તે સમયે આસનકંપથી જિનજન્મને જાણીને છપ્પન ઢિમારીએએ ત્યાં આવી ભક્તિપૂર્વક સર્વ સૂતિકાકર્મ કર્યું. ચાસ. ઇંદ્રો આસનકંપથી પ્રભુના જન્મ જાણીને અત્યંત હર્ષોલ્લાસથી અતિ શાભાયમાન વિમાનમાં પાતાતાના પરિવાર સાથે બેસી ઘણા દ્વીપને ઉલ્લંધન કરી વિનીતાનગરીમાં આવ્યા. જિનેશ્વરની માતાને અવવાપિની નિદ્રા મૂકી, તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ રાખી સૌધર્મેદ્રે પ્રભુને ત્યાંથી લીધા. પછી ચંદનવડે લીધેલા અને અંજલિઆકારે કરેલા બે હાથમાં પ્રભુને લઈ શકેંદ્ર ક્ષણવારમાં મેગિરિ પર ગયા. ત્યાં પાંડુકવનમાં અતિ પાંડુકબલા નામે અર્ધચંદ્રાકાર સ્ફટિકમય શારવત શીલા છે, તેપર રહેલાં સુંદર સિંહાસનમાં પ્રભુને ઉત્સંગમાં લઇને સૌધર્મેદ્ર બેઠા, તે સૂર્યને ઉત્સંગમાં રાખનાર પૂર્વાચળ જેવા શાભવા લાગ્યા. પછી શત્રે પાંચ રૂપ કર્યાં; એકરૂપે છત્ર, એપે ચામર, એકરૂપે ઉત્સંગમાં પ્રભુને ધારણ કર્યા અને એકરૂપે વજ લઈ આગળ ઊભા રહ્યા. પાંચરૂપે પ્રભુની ભક્તિ કરતા તે ઇંદ્રે જિનસ્નાત્ર કરવાને માટે બીજા ઈંદ્રોને આમંત્રણ કર્યું. સર્વ ઈંદ્રોએ એકઠા થઈને ભાવપૂર્વક મૃત્તિકાના, સુવર્ણના, રૂપાના, મણિરલના, સેાનારૂપાના, મણિનેરૂપાના, મણિસુવર્ણના અને સાનું રૂપું તથા મણિના તીર્થજળથી ભરેલા પ્રત્યેકે એક હજારને આઠ આઠ નિર્મળ કળશેવડે પ્રભુને સ્નાત્ર કર્યું. પછી ગેાશીર્ષચંદન, દિવ્ય સુગંધી પુષ્પ, ફળ અને પત્રોથી તેમણે ભક્તિસહિત શીવ્રતાથી પૂજા કરી. પછી શુભવાસનાવાળા સૌધર્મપતિએ અર્ધાંઢિકથી પૂજા કરીને આ પ્રમાણે સ્તુતિ કરી “હે અજિતવામી ! ત્રણ લેાકના નાયક, “દેવાધિદેવ અને લેાંકેાત્તર એવા તમે જય પામેા. હે ભગવન્! આદિનાથ પ્રભુની “ પછી પચીશ લાખ કેાટિ ઇંદ્રો` થઈ ગયા પછી આજે તમે મારાં સારાં ભાગ્યેજ અવતર્યા છે. હે ભગવન્! તમારા અવતારના યાગથી તમારી પૂજા, અને “ તમારી દેશના સાંભળીને મારા અવતાર પણ હું કૃતાર્થ માનુંછું. હે નાથ ! (6 ፡፡ "" Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારા જેવા સ્વામીથી આ ભરતખંડ અને હું વિગેરે સુરા, અસુરો અને મનુષ્યા આજે પવિત્ર થયેલાં છે. હે પ્રભુ! તમે આ સંસારરૂપ વારિધિમાં ડૂબી જતા પ્રાણીઓને તારનાર અને કષાય તથા અવિરતિરૂપ શત્રુઓના બળને તેા ' ૧ ઋષભદેવ પછી અજિતનાથજી પચાસ લાખ કોટિ સાગરોપમે થયા. સૌધર્મેદ્રનું આયુષ્ય એ સાગરોપમનું હાવાથી તેટલા અંતમાં પચીશ લાખ કોટિ ઇંદ્રો એક પછી એક થઈ ગયા એમ સમજવું. ભા. ક. ૨ પચીશ લાખ ઇંદ્રને જન્માભિષેક કરવાના પ્રસંગ મળ્યા નહિ અને મને મળ્યા તેથી હું ભાગ્યવાળો છું એવા અત્ર આશય છે. ભા. ૩. ૩ સમુદ્ર. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy