________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ છે.] રૈલોક્યવિભ્રમ પ્રાસાદની રચના અને પ્રતિષ્ઠા. આપતા હોય તેવી મૂર્તિ કરી બેસાર્યા. તેમની આગળ શ્રીયુગાદિ પ્રભુ ઉપર દૃષ્ટિ રાખી અંજલિ જોડી ઊભેલી પોતાની મૂર્તિ ભરતે શિલ્પીપાસે કરાવી. તે શિવાય શ્રીનાભિરાજા, મરૂદેવામાતા અને બીજા પૂર્વજોની મૂર્તિઓ પણ રામય કરાવી જુદા પ્રાસાદ કરાવી તેમાં બેસાડી. રામય કરેલાં મુખ્ય ચૈત્યમાં સુનંદા અને સુમંગલાની મણિરતમય મૂર્તિ સૂર્યમાં દીપિકાની જેમ શોભતી હતી. સર્વ જ્ઞાનમય બ્રાહ્મીની અને સર્વ સંપત્તિને આપનારી સુંદરીની મૂર્તિઓ પણ ત્યાં નિધાનની જેમ રાખવામાં આવી હતી. બીજા નવીન મંદિરે કરાવીને તેમાં ભાવી ત્રેવીસ તીર્થંકરનાં બિંબ પોતપોતાના વર્ણ અને દેહમાન પ્રમાણે શાસન દેવતા સહિત સ્થાપિત કર્યા. તે સિવાય ભરતે પિતાના બીજા બંધુઓની પણ મણિરતમય મૂર્તિઓ કરાવીને નવા પ્રાસાદમાં ગોઠવી, તે ઘણું શોભા આપતી હતી.
આ પ્રમાણે આ તીર્થમાં વિચિત્ર પ્રકારની ચૈત્યશ્રેણી કરાવીને પછી શિલ્પી, ચિત્રકારે, રક્ષકો અને પૂજકોને તેણે રજા આપી. શ્રીજિનેશ્વરાદિકની નિત્યપૂજાને માટે ઝારી, થાળ, કલશ, છત્ર, ચામર, દીપક, આભૂષણ અને આરતિ વિગેરે સર્વ સામગ્રી ત્યાં દરેક ચૈત્યમાં મૂકી. હાથીના વાહનવાળો, બે દક્ષિણ ભુજામાં વરદાન અને અક્ષમાળા અને બે વામ ભુજામાં બીરું અને પાશ ધારણ કરનારે અને તપેલાં સુવર્ણના જેવા વર્ણવાળો ગેમુખનામે એક યક્ષ તે તીર્થને રક્ષક થે. તેમજ સુવર્ણ જેવા વર્ણવાળી, ગરૂડપર બેસનારી, ચાર દક્ષિણ ભુજાઓમાં વરદામ, અક્ષમાળા, ચક્ર અને પાશ તથા ચાર વામ ભુજાઓમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશ ધરનારી અપ્રતિચક્ર નામે શાસનદેવી તે તીર્થની રક્ષણ કરનારી થઈ. પછી શુભ દિવસે બાહુબલિ મુનિ, શ્રીનાભગણધર, નમિ, વિનમિ બીજા આચાર્યો અને ઈંદ્રાદિક દેવો એકઠા થયા. ગુરૂએ સૂચવેલો સર્વ ઉપહાર છેદ્રની આજ્ઞાથી આભિયોગિક દેવતાએ ભક્તિપૂર્વક સત્વર ત્યાં હાજર કર્યા, એટલે ઋષિઓએ દ્વાદશાંગમાં કહેલા વિધિ પ્રમાણે શાંતિપૂર્વક ચૈત્યમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી, અને સૂરિમંત્રથી અભિમંત્રિત કરેલો પવિત્ર વાસક્ષેપ અને અક્ષત, વિજાદંડ અને પ્રતિમા ઉપર હર્ષથી ક્ષેપન કર્યો, તે સાથે સંધે પણ ક્ષેપન કર્યો. તે સમયે સર્વ વાજિત્રોના ધ્વનિસાથે મળેલ ધવળ મંગળને વનિ ઉલ્લાસ કરતો સર્વના કર્ણને પવિત્ર કરવા લાગે. આ પ્રમાણે ચક્રવર્તીએ કરેલા પ્રતિષ્ઠાના મિહોત્સવથી સર્વ અધિષ્ઠાયક દેએ પ્રત્યક્ષપણે ત્યાં આવીને સ્થિતિકરી. ત્યાર પછી ચક્રવર્તીએ મંત્રોચ્ચારપૂર્વક સુવર્ણરતમ્ય કલશવડે જન્મસાત્રની જે પ્ર
૧ ચકેશ્વરી. ૨ પ્રતિષ્ઠાદિકમાં જોઇતી સર્વ વસ્તુઓ, ઉપકરણ વિગેરે. ૩ રહ્યા.
For Private and Personal Use Only