SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિંબ માટે ફલીનું મંગાવવું કે જેણે આવા પુત્રને ઉત્પન્ન કર્યો છે. કેમકે આ કળિકાળ રૂપ કૂવામાં ડુબી જતા ધર્મને ( આ સમરસિહ ) ઉદ્ધાર કર્યો છે. ૧૦૭ ખરેખર લેકાર ચરિત્રવાળા આ સમરસિંહના દર્શન કરીને આપણે આ સમયે કૃતાર્થ થયા છીએ. કેમકે પુરુષોનું દર્શન સર્વને પવિત્ર કરનારું હોય છે ૧૯ હે સમરસિંહ! આ ધર્મકાર્યને માટે તમે આ બળદોને સ્વીકારે અને યોગ્યનો યોગ્ય કાર્યમાં ઉપયોગ થવા દે, તમે આ કાર્ય કરીને લોકમાં પ્રસિદ્ધ થાઓ.૦૯ *ઘણું મૂલ્યથી પણ તમારું પ્રયોજન પ્રાપ્ત થાય તેમ નથી. કોઈ પણ માણસ એક પળાથી અરઘટ્ટ ખરીદ કરતા નથી. ૧૧° એ પ્રકારે સર્વ લોકોનું કહેવું સાંભળીને વિચારવેત્તા સમરસિંહે મનમાં વિચાર કરીને તુરતજ સારા સારા વીશ બળદ તેઓ પાસેથી ગ્રહણ કર્યા. તે વખતે જેઓના બળદ તેણે લીધા નહિ તેઓ જાણે શરમાયા હોય તેવા થઈ ગયા અને ( ઈષ્ટ વસ્તુ નહિ મળવાથી ) યાચકની પેઠે નિરાશ થયા. ૧૨ રામરસિંહે પણ જોઈ લીધું કે, જેઓના બળદ તેણે લીધા ન હતા તેઓ ઘણુજ શરમાઈ ગયા છે, જેથી તેણે અમૃત જેવી મીઠી વાણીથી કહ્યું કે હે મહાનુભાવે તમારે ખેદ કરવો યોગ્ય નથી. કેમકે તમે ધર્મ નિમિત્તે પિતાના બળદોને અહિં લાવ્યા તેથી તમે ધર્મજ ઉપાર્જન કર્યો છે. ૧૧૩ -૧૧૪ પુણ્ય સંપાદન કરવામાં ભાવના એજ મુખ્ય કારણ છે અને એ ભાવના તમારામાં પરિપૂર્ણ છે. વળી શાસ્ત્ર કહે છે કે, દાનદાતા મનુષ્યને જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય દાનમાં અનુદાન આપનારાને પણ મળે છે. ૧૧૫ એમ કહીને સમરસિંહ, ભજન પાન-બીડાં વગેરે આપીને તેઓનું સન્માન કર્યું અને બળદોના તે તે સ્વામીઓને ઘેર જવા માટે રજા આપી.૧૧૬ પછી તેણે એક ગાડું કેટલા એક બળદ તથા માર્ગમાં ઉપચાર * આ શ્વક કંઈક અસંબદ્ધ હોય તેમ લાગે છે. ( ૧૭૭ ) ઉપાર્જન છે અને એટલું પુરા ૧૧૧ For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy