SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ ૨. ગુરુએ કહેલા એ ધર્મને બેધ પામી, તેને સ્વીકાર કરી બોલી કે, “ હું આપની સેવા કરવા તત્પર છું. યોગ્ય સમયે આપે મારું સ્મરણ કરવું અને દેવતાવસર સમયે મને ધર્મલાભ આપવો ૨૨૧-૨૧૨ વળી કંકુ, નૈવેદ્ય તથા પુષ્પ વગેરેથી ઉદ્યમી એવા શ્રાવકે દ્વારા તમારે મારી સાધર્મિકની પેઠે પૂજા કરાવવી.” ૨૧૩ તે સમયે દીર્ધદૃષ્ટિવાળા શ્રીરત્નપ્રભસૂરિએ વિચાર કરીને દેવીના તે વાક્યને સ્વીકાર કર્યો, કેમકે સત્પરુષે હમેશાં ગુણગ્રાહી હોય છે. ૨૧૪ એ રીતે એ દેવી, પિતાની પ્રતિજ્ઞાને સત્ય કરી પાપનો નાશ કરનારી થઈ તેથી તેનું “સત્યકા” એવું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. ૨૫ પ્રભુ શ્રીરત્નપ્રભસૂરિએ પણ એ રીતે સર્વત્ર વિહાર કરીને સવા લાખથી વધારે શ્રાવકેને બોધ આપ્યો હતો. ૨૧૬ પછી તે આચાર્યમહારાજ, શ્રી મહાવીરના નિર્વાણથી પંચાશીમે વર્ષે પિતાના ગુરુ પાસેથી આચાર્ય પદ પ્રાપ્ત કરીને તે પછી અઢાર વર્ષે ઊકેશ તથા કારંટક નગરમાં શ્રી મહાવીર સ્વામીની બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીને, ચામુંડા દેવીને પ્રતિબોધીને, સવા લાખથી કંઈક વધારે શ્રાવકેને બેધ આપી, શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે અતિચારરહિત ચારિત્ર પાળીને તથા યક્ષદેવ નામના આચાર્યને પોતાના સ્થાન ઉપર સ્થાપીને પિતાના ચોરાશી વર્ષના આયુષના અંતે સ્વર્ગમાં ગયા. ૨૧-૨૨૦ તે પછી પૂર્વાચલ ઉપર જેમ સૂર્ય પ્રકાશે તેમ, યક્ષદેવ નામના સૂરિ તેમના સ્થાન ઉપર આવીને પ્રાણીઓના અજ્ઞાન રૂ૫ અંધકારનો નાશ કરતા પ્રકાશવા લાગ્યા. ૨૨ એક દિવસે તે આચાર્ય વિહાર કરતા કરતા કેટક નગરમાં ગયા અને ત્યાં મણિભદ્ર યક્ષના સ્થાનમાં પિતે રહ્યા. ૨૨ તે સમયે તેમના કેાઈ એક નાના શિષ્ય પિતાની મૂર્ખાઈથી તથા બાળભાવની ચંચળતાથી યક્ષના મસ્તક ઉપર જ પાતરાનું ધોયેલું પાણી નાખ્યું. ૨૨૪ તેથી યક્ષ અત્યંત કોપાયમાન ( ૨ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy