________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હીરવિજય સૂરિ.
આજનું પાલણપુર જુના વખતમાં પ્રહ્લાદનપુર કહેવાતું કારણ કે તેને વસાવનાર પરમાર ધારાવ ના પુત્ર પ્રહ્લાદનદેવ હતા.
જગચ્ચંદ્રસૂરિના સમયે જૈનોનું ત્યાં એટલું પૂર હતું કે પ્રહ્લાદનપાર્શ્વનાથના મંદિરમાં મૂકાયેલી સેાપારીએ સાળ મણુ થતી ને ચાખા તે એક મુડા થતા. જૈન સમાજને આ નગરે એ અમૂલ્ય રત્નાની ભેટ આપી છે-એક મહાન પ્રભાવક સામસુંદરસૂરિ ને ખીજા શ્રીહીરવિજયજી.
આ વાતમાં શ્રીહીરવિજયજીનું જીવનચરિત્ર જોઇએ. વિક્રમની સેાળમી સદીમાં આ નગરમાં કુંરાશાહ નામે એક ધર્મપ્રેમી એશવાળ હતા. તેમને નાથી નામે અતિ ગુણીયલ પત્ની હતી. તેમને સંઘજી, સૂરજી ને શ્રીપાળ નામના ત્રણ પુત્રી હતા. રંભા, રાણી ને વિમળા નામે ત્રણ પુત્રીઓ હતી. એક વખત નાથીખાઇ સુખે શૈયામાં પાઢચાં હતાં ત્યારે સિહનું સ્વપ્ન આવ્યું ને ગર્ભ રહ્યો. પૂરા દિવસે પ્રસવ થયા ત્યારે દેવમાળ જેવા પુત્ર અવતાં. સ. ૧૫૮૩ ના માગસર સુદ્ઘ ૯ ના એ દિવસ હતા. અંધારામાં જેમ હીરા પ્રકાશે તેમ ઘર આખામાં તેના પ્રકાશ પડયા. આથી માતપિતાએ એમનું નામ હીરજી રાખ્યુ. સહુથી એ નાના એટલે માતાપિતાને લાડકવાયા થયે અને ભાઈ બહેનેાનું હેત પણ તેનાપર ઉભરાવા લાગ્યું. આમ કરતાં હીરજી પાંચ વર્ષ ના થયેા.
For Private And Personal Use Only