________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ જગત્કર્તાએ બનાવેલું વિલાસભવન. જેમ સર્વ ભૂમિના ઈશ સાર્વભૌમ ચક્રવતી આક્રાંત સ્વબળથી દિચક્ર જીતેલું હોવાથી સર્વ ભૂપાલમાં વિશેષ શ્રીમાન હોય છે, તેમ સર્વ દેશમાં આગુર્જરમંડળદેશપતાના મહત્ત્વથી દિશાઓના ચક્રમંડળને આક્રાંત–વ્યાપી કરેલું હોવાથી સાર્વભૌમ પેઠે વિશેષ શ્રીમાન ધનધાન્યાદિકથી સંપત્તિમાન દેશ તરીકે ચારુતા–સુંદરતા વહે છે.”
આવા ગુર્જર દેશમાં સંવત ૧૫૮૩ના માગશર વદ નોમને દિવસે પરવાડ વણિકકુંવરજીને ત્યાં એમની પત્ની નાથીબાઈને પાલનપુર નગરમાં એક પુત્રને જન્મ થયે. એ પુત્રનું નામ હીરજી પાડવામાં આવ્યું. હીરજી તેર વર્ષનો થયો ત્યારે તેનાં માતા-પિતાનું અવસાન થયું હતું. તેની બહેન પાટણમાં પરણીહતી. હીરજી વારંવાર બહેનને ત્યાં જ. ત્યાં વિદ્વાન જન મુનિઓનાં પ્રવચન સાંભળવાની તેને તક મળતી. આ મુનિઓમાં તપગચ્છના વિજયદાનસૂરિ નામના એક વિદ્વાન સાધુ હતા. એમના પ્રવચનની હીરજી ઉપર ઘણી અસર પડી. એને પરિણામે તેનામાં સંસાર પ્રત્યે વૈરાગ્યની ભાવના જાગી. બહેનને પિતાને ભાઈ દીક્ષા
For Private And Personal Use Only