SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદેહમુક્તિ ઃ પ્રારબ્ધકર્મ ભોગવાઇ જતાં શરીર છૂટી જાય છે અને પુનરાવૃત્તિ થતી નથી. તે વિદેહ મુકિત છે. ("મોસમાં ચર્ચા છે, તેથી પુનરાવર્તન કરેલ નથી.) (૫) ઈશ્વર : શરૂઆતમાં સાંખ્ય નિરીશ્વરવાદી હતું. પરંતુ પાછળથી તેમાં ઈશ્વરની સંકલ્પના કરવામાં આવી છે અને તેનાં સ્વરૂપની સ્પષ્ટતા કરેલી છે. સાંખ્યમત ઈશ્વરને જગતના ઉપાદાન કારસ તરીકે સ્વીકારતો નથી, પરંતુ તેને સૃષ્ટિ રચનાના નિમિત્ત કારણ તરીકે સ્વીકારે છે. તેથી જ સંખ્યસુત્રમાં કહ્યું છે કે- "પરિણામ ન હોવા છતાં પરવશ હોવાને કારણે તેનો જગત સાથે સંબંધ છે." ધોગચૂડા. ઉપ.માં ઈશ્વર, ૐ સ્વરૂપ પરબ્રહ્મ જ્યોતિરૂપ પરાશક્તિને ઉત્પન્ન કરી અને તેમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. જે ઈશ્વરવાદનો નિર્દેશ કરે છે. (૬) જ્ઞાન મીમાંસા: "સાંખ્યના મતે આપણું જ્ઞાન ફકત વસ્તુઓનું વૈચારિક ચિત્ર અથવા પ્રત્યયાત્મક બિમ્બ સ્વરૂપ છે. બાહ્ય વસ્તુઓ વાસ્તવિક છે, પરંતુ ઍન્દ્રિય ય વિષય અને માનસિક બિબ, જેનાં આવન-- પ્રત્યાવર્તનને જ જ્ઞાન કહે છે, તે પણ વાસ્તવિક અને દ્રવ્યાત્મક છે. કારણ કે તે પણ બાહ્ય વસ્તુઓની સમાન સ્વ૫તઃ સીમિત છે. ઍન્દ્રિવજ્ઞાનની જેમ બિલ્બ આવે છે અને જાય છે. તે બાહ્ય વસ્તુઓનું પ્રતિરૂપ અથવા ચિત્ર હોય છે....આમાનસિક બિમ્બ ચૈતન્યના ગવરૂપમાં ભાસિત થતું નથી, ચૈતન્યનાં વિભિન્ન સિદ્ધાન્ત હોતા નથી, પરંતુ સંપૂર્ણ ચૈતન્યક્ષેત્ર એક જ વ્યક્તિની અનુમતિના રૂપમાં પરિભાષિત કરવામાં આવે છે ? (૭) ભાવના: "ભાવનાનું સ્વરૂપ મહત્વપૂર્ણ છે. આપણા વિચારો જ આપણી ભાવના વ્યક્ત કરે છે. કોઈપણ કાર્યના ઉદ્દભવ પ્રથમક્ષણે અવિકસિત સંવેદનોના રૂપમાં નિર્મિત થાય છે, તે આપણને એક બિમ્બના રૂપમાં નહીં પરંતુ એક ઝટકાના રૂપમાં પ્રતીત થાય છે. આપણને એવો અનુભવ થાય છે કે આ એક ભાવનાત્મક પિડ નહીં, પરંતુ એક બિમ્બ છે. આપણા દૈનિક જીવનમાં પણ જ્ઞાનાત્મક વ્યાપારનું જન્મદાતા પૂર્વવર્તી તવ ફક્ત માવાત્મક જ હોય છે. અહ૦ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy