SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિમાલયની આનંદમય, નયનરમ્ય અને મનોરમ્ય કુદરતી મિમાંનાથપ્રભુ સહજમાં સમાધિસ્થ બને છે અને પરમતત્વનો સાક્ષાત્કાર કરી; આદેશ પ્રાપ્ત કરી લોકોના કલ્યાણ માટે આચાર્યપદ પ્રાપ્ત કરે છે. લોકકલ્યાણનો આદેશ પ્રાપ્ત કરી પરત કરે છે. સર્વપ્રથમ લીબડી સ્ટેશને ઉતરી મોજીદડ માતુશ્રી પાસે આવ્યા. નચિકેતા પણ યમરાજ પાસે પ્રથમ પિતાના મનની શાંતિ અને આશીર્વાદ જ વરદાનમાં મા છે. માતુશ્રીનાં આશીર્વાદ માટે જ તેઓશ્રી આવે છે. પ્રેમથી તરબતર માતાએ સજળ તવને તેઓશ્રીને આવદ આપ્યા. તેઓશ્રીએ માતા માટે જ કાશીથી ભરી લાવેલ ગંગાજળનો કળશ માતાને આપ્યો. સનાતન ધર્મનાં પુનરોદ્ધારને માટે થઈને વિશેષ તૈયારીનો આરંભ કરે છે. કેવલત સિદ્ધાંતના અભ્યાસ, યોગાભ્યાસ, સંસ્કૃત ભાષાનો વિશેષ અભ્યાસ તેમજ અન્ય શાસ્ત્રના અભ્યાસ કરે છે. સાથોસાથ સત્સંગ, પ્રવચન વગેરે તો શરૂ જ છે. એ ઉપરાંત જાફરાબાદમાં શિક્ષકની જવાબદારી તો ખરી જ. ફરાબાદ બાદ માંગરોળ રાજ્યની નોકરીમાં જોડાયા.એ દરમ્યાન યોગાભ્યાસ વગેરેનો શરૂ જ હતું, ઉપરાંત જ્ઞાનોપદેશ આપવી નાની નાની પુસ્તિકાઓ પણ લખવાનું શરૂ થયું હતું. જે આચાર્યપદની પૂર્વ તૈયારી રૂપ હતું. "સ્વાભાવિક ધર્મ", "પરમ પદ બાંધિની" વગેરે. આચાર્યપદની પૂર્ણ પ્રાપ્તિ બાદ થોડાફરતુ, ગીતાદિ પચરો; પંચદશી, બ્રહ્મસૂત્ર ભાષ્ય, સાંખ્ય પ્રવચન ઉપરાંત અનેકવિધ પુસ્તકો રચેલા છે. તેમાં તેઓશ્રીએ સરળ અને પ્રેમપૂર્ણ ભાષામાં ભક્તજનોને ધર્મનો ઉપદેશ આપી ધર્મ પ્રતિ દોરવા પ્રયત્ન કરેલ છે. તેઓશ્રી વરલના કારભારી તરીકે રહેલ છે. વરલમાં યોગાભ્યાસ તીવ્ર બને છે. અંતે કારભાર છોડ હિમાલયમાં વિશેષ તપશ્ચર્યા માટે જાય છે. હિમાલયબાદ કાશીનિવાસ અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરે છે. ગિરનારમાં મુચકુંદકુહામાં ચાતુર્માસ વિતાવે છે. આદર્શ આચાર્ય બની ત્રિપુરારી પૂર્ણિમાની ઉજવણી કરી આચાર્યપદ પ્રાપ્ત કરે છે અને શિષ્યોને દીક્ષા આપે છે. રાં. ૧૯૯૫માં બિલખા પધારે છે. ફાગણ વદ ૧૧, નાં મંગળવારે પૂજ્ય ભક્ત ગૌરીશંકરજી વગેરેની ઈચ્છા પૂર્ણ થાય છે. તેઓશ્રીની બિલખા આનંદાશ્રમમાં નિવાસ માટે પધરામણી થાય છે. તેઓશ્રીના અન્ય આશ્રમોમાં પોરબંદર, મોજીદડ, લીંબુડાને ધાફા છે એ ઉપરાંત અમદાવાદ તેમજ કરાંચીમાં પણ આશ્રમની સ્થાપના થયેલી છે. આચાર્ય પદની પ્રાપ્તિ માટે પરોપકારાર્થે સતત યાત્રા અને અભ્યાસ શરૂ રહે છે. કુતિયાણા, અડવાણા, પોરબંદર તેમજ અન્ય સ્થળે પ્રવાસ ચાલુ છે. પ્રવાસ દરમિયાન આવતી મુશ્કેલીઓ અગવડતાઓ વગેરે જીવન્મુક્તની સ્થિતિ હોય સહજ રીતે વધાવી લે છે અને શાંતાવસ્થામાં જ ઉપદેશ * પપ૬ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy