SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :: forwardiklIvoirihindividજ ધારો જોજે છેaritra , જાડા r કડ સહાય કારાણા - આ મોક્ષ પ્રાપ્તિ માટે શાસ્ત્ર વચન અને ગુરુવાકયમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. બ્રહ્મચર્યપૂર્વક વનિષ્ઠ ગુરુની સેવા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મોક્ષ પ્રાપ્તિમાં "મન" વિશેષ મહત્ત્વનું છે. તેથી જ ઉપનિષદો "મન"ની શુદ્ધિનો આગ્રહ રાખે છે. તે માટે આહાર-વિહારની શુદ્ધિનો પણ આગ્રહ રાખે છે. કારણ કે, આહારનાં અત્યંત સૂમ અંશમાંથી મનનું નિર્માણ થાય છે. આ મનની ચંચળતા જ સંસાર બંધનનું કારણ છે. તેને શાંત કરવાથી જ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. આ મ.નાં સ્વરૂપચંગળ, અસ્થિર વિષયો તરફ સતત આકર્ષિત થવું છે. તેથી મનનો નિગ્રહ અરાંત દુષ્કર છે. સતત અભ્યાસ દ્વારા તેનો નિરોધ કરી શકાય છે. નિરોધ દ્વારા તેને સંક૯૫મય બનાવી શકાય છે. વાસ્તવમાં મન અને સંક૯પ એક જ છે. પરંતુ રાંકવપમધ મન દઢતાપૂર્વક સિદ્ધિ તરફ આગળ વધી શકે છે. માટે જ વેદો શુભ સંકલ્પની લાવના સાથે આગળ વધવાનું જણાવી સંકલ્પથી પર જવાનું જણાવે છે. છા.પિ.માં સનકુમાર મન, સંકલ્પ, પ્રજ્ઞા, ચિત્તને ક્રમશઃ શ્રેષ્ઠ ગણાવે છે. તેથી જ મૈત્રેયી ઉપનિષદ્ “જેવું ચિત તેવી તેની ગતિ તેમ જણાવી તેને જ મોત અને બંધન માટે કારણભૂત ગણે છે. આ ચિત્ત જયતિ અંતઃ કરણમાં પ્રકાશિત થતાં પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. તેથી જ ઉપનિષદો મનની શુદ્ધિનો આગ્રહ રાખે છે. આ મનની સ્થિરતા અને શુદ્ધિ દ્વારા જ ઉપારાના શક્ય બને છે. ચંચળ મનથી ઉપાશતા શિદ્ધ ઘી નથી. આ ઉપરાના માટે કર્મ અત્યંત જરૂરી છે. ભારતીય દર્શનમાં મમીમાંસા અત્યંત મહત્ત્વનું સ્થાન કી ધરાવે છે. કર્મને આધારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. સંચિત કર્મ, ભોગ્યકર્મ, કામ્યકર્મ તેમજ નિષ્કામ કર્મ વિશે તે જણાવે છે. વૈદિક કર્મ સકામ ભાવે કરવામાં આવે તો સ્વર્ગવગેરે ફળ પ્રાપ્ત થાય છે પરંતુ કળ ભાંગવાઈ જતાં પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. તેથી લોકસંગ્રહની ભાવના સાથે મુક્ત પુરૂષ કર્મ કરવા જોઈએ, જેથી કર્મબંધન ન લાગે અને મોક્ષ પ્રાપ્ત થાય. આવા મુક્ત પુરૂધ્ધની શ્રેષ્ઠ આચરણ અને લોકસેવાનાં કર્મો કરવા એ જવાબદારી છે. જે સમાજમાં આવા પુરૂષો નથી; તે સમાજ નાશ પામે છે તેમ શ્રીવિનોબા ભાવે જણાવે છે. આ extension જાદુwsongs ધ દi કાકા , આ મોક્ષ માર્ગ તરફ આગળ વધવા માટે ઉપનિષદો વિવિધ ઉપાસનાઓ દર્શાવે છે. તે ઉપાસના અને ઉપાસનાની સિદ્ધિ માટે પાળવાના નિયમો પણ આપે છે. વાસ્તવમાં ઉપાસનાની સિદ્ધિ પાટે નિયમોનું દઢતાપૂર્વક પાલન કરવું અત્યંત જરૂરી છે. આ ઉપાસનામાં આસન શુદ્ધિ સ્થાન શુદ્ધિ, આહાર વિહારની શુદ્ધિ, ગુરુગમ્ય જ્ઞાન વગેરે અત્યંત જરૂરી છે. તેમજ અવિશ્વાસ, વ્યાકુળતાસંકલ્પ ત્યાગ, અસમતાનો ત્યાગ પણ જરૂરી છે. આ ઉપાસના અધિકાર ભેદે અનેક પ્રકારની ઉપનિષદો વર્ણવે છે. આ ઉપાસનાની કર્મથી જ પ્રતિષ્ઠા થાય છે અર્થાત્ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ..ક કા કિ પર For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy