SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org અથવા આધ્યાત્મિક તત્ત્વમાં સતત સ્થિર રહેનાર આ જ પ્રમાણે આધ્યાત્મિક અનુભૂતિની અભિવ્યક્તિમાં પણ પ્રતીકનો ઉપયોગ ઋષિઓ કરે છે. દેવતાઓનું મપિત્ત્વ : Acharya Shri Kailassagarsuri Gyanmandir શતપથ તઘા મનુસ્મૃતિમાં અગ્નિ, વાયુ અને સૂર્યનું ૠષિત્વ સ્વીકારવામાં આવ્યું છે, તેઓમાંથી મક્ષ ક્, યજુ રામ એ ત્રણ વેદોનો પ્રાદુર્ભાવ થયો.‘ પરંતુ આ બન્ને જગ્યાએ વેદોનાં પ્રાદુર્ભાવ થયો, તેમ ઉલ્લેખ છે, પરંતુ અગ્નિ વગેર્ટએ પત્રોનું દર્શન કર્યું તેવો ઉલ્લેખ નથી. તેથી જ સ્વામી દયાનંદ. સરસ્વતીનો અગ્નિ વગેરે ચાર દેવતાઓના ઋષિત્વનો મત નિરાધાર છે તેમ કહે છે. ડૉ. કપિલદેવ શાસ્ત્રી કહે છે કે "વારતવમાં ઇન્દ્ર, અગ્નિ, અશ્વિન વગેરે દેવતાઓનાં નામાં વૈદિક મંત્રોનાં ઋષિનાં રૂપમાં ઉલ્લેખિત છે ... વારતવમાં માનવીય દ્રષ્ટા ઋષિઓએ જે દૈવી શઓિાં મોહ્યું રૂપમાં દર્શન કર્યા તેનાં વિશેષણ અથવા નામથી પ્રસિદ્ધ થયાં, મંત્ર દષ્ટા ઋષિ તથા તે મન્ત્ર દ્વારા પ્રતિપાદ્ય અથવા વર્લ્ડ દેવમાં અર્ભેદ માની હૈ દુષ્ટા ઋષિના દશ્ય(મન્ત્રનાં અધિષ્ઠાતા) દેવના નામથી પ્રસિદ્ધિ સ્વાભાવિક છે. દૃષ્ટાદશ્ય વચ્ચે અભેદ માનવામાં જ આવે છે, તેથી જ "બ્રહ્મને જાણનાર બ્રહ્મા બને છે." એ ઉક્તિ પ્રસિદ્ધ છે. C 3 પ્રાકૃતિક તત્ત્વો : પ્રાકૃતિક તત્ત્વોને, પશુ-પક્ષીઓને તેમજ દેવોને પણ ઋષિ તરીકે, જ્ઞાન આપનાર તરીકે સ્વીકારવામાં આવે છે. દત્તાત્રેયને કૂતરો વગેરે ૨૪ ગુરુઓ હતાં. તે પ્રસિદ્ધ છે. એટલું જ નહીં ભાવના, ગુણ, ક્રિયા, વિશિષ્ટ સ્થિતિ, અચેતન વસ્તુઓનાં બોધક શબ્દ વગેરેનો પણ ઋષિનાં સંદર્ભમાં, જ્ઞાન આપનારના સંદર્ભમાં ઉલ્લેખ છે. તેથી તેને ૠષિ સંશા વાચક શબ્દ ન માની શકાય.૧ દેવ ઋષિઓ-ઋષિકા, મહર્ષિઓ, રાજર્ષિ, આસુરી એમ વિવિધ ઋષિઓ ઉપર છે. શરૂઆતમાં દેવર્ષિઓ અગ્નિ, ઇન્દ્ર, કૃષ્ણદ્વૈપાયન વ્યાસ, કાલાગ્નિરુદ્ર, દત્તાત્રેય. નારદ, બૃહાતિ, બ્રહ્મા, વાયુ, વાસુદેવ છે અને ૠષિકા ઉમાદેવી, ત્યારબાદ મહર્ષિઓમાં અતિધવા, આયાસ્ય, અંગિરા, ઈન્દ્રધુમ્ન, ઉદર શાંડિલ્મ, ઉદ્દાલક આધિ, ઉપકોસ્ટલ, વસ્તિ, ભુ, કપિલ, કાત્યાયન, કાપેય, કૌષીતિક, કૃષ્ણ, ગ્લાવ, ગૌતમ, ગૌશ્રુતિ, ઘોર, જન, જાબાલિ, દાį(બક), નિદાય, વૈપ્લાદિ, પ્રાચીનશાલ, બુડિલ, ભારદ્વાજ, ભુસુંડી, મહિદાસ ઐતરેય, મૈત્રેય, રૈવ, વસિષ્ઠ, શાકાય... મુનિ, શિલક, શુકદેવજી, શાંડિલ્ય, શૃગ, શ્વેતકેતુ, સત્યકામ, સત્યયજ્ઞ, સનત્કુમાર, હારિંદુપત છે, રાજર્ષિઓમાં અભિપ્રતારી, અશ્વપતિ, જડભરત, જનક, જાનવ્રુતિ પ્રવાહણ અને બૃહદ્રથ છે. અસુર s For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy