SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Kailassag ..... Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તેના ફક 1 : :11 : . _ W વાત વાળ, અશ્રુથી દૂષિત છે. વિષ્ટા, મૂત્ર, વાત, પિત્ત, કફના સંધાતથી દુગંધમય છે. એવા નિઃસારરૂપ શારીરથી કામોપભોગનો શો અર્થ? hક પરુષોનાં સ્મરણ અને વર્ણન દ્વારા એ તરફ આગળ વધવાનું પ્રયોજન હોય છે. તેથી જ સાઘ શરીરનું દેહમોહ છૂટે એવું વર્ણન કર્યા બાદ પરબ્રહ્મની પ્રાપ્તિ એ જ લક્ષ્ય હોવું જોઈએ. તે માટે મહાનૂચકવતિ રાજાઓ સુધુમ્ન, ભૂરિધુમ્ન ઈન્દ્રધુમ્ન, કુવલૈયાશ વૌવનાશ્વ, અશ્વપતિ, હરિશ્ચન્દ્ર, શિષ, મનુ, યયાતિ, ભરત વગેરે રાજાઓનું ઉદા. આપ તેઓ આ માર્ગે મહાન રાજલક્ષીને છોડીને આગળ વધ્યા હતાં તેમ જણાવે છે. ૩૬ અતિ માટે પ્રયોજાતી શૈલી અત્યંત સરળ, આનંદ અને ઉર્મિત તરંગોને વ્યક્ત કરતી હોય છે. તેમાં જેની સ્તુતિ કરવામાં આવે તે તત્ત્વ જ સર્વમય છે, સર્વ તે જ છે, તે સર્વશક્તિમાન છે. તેવી ભાવના સ્તોત્ર કરનાર વ્યક્ત કરતો હોય છે. મૈત્રા. ઉપ માં પરમતત્ત્વની સ્તુતિ છે. તમે બહ્યા છો, તમે જ વિષ્ણુ અને રદ્ર છો, તમે જ પ્રજાપતિ છો. તમે જ વાયુ, અગ્નિ, વરુણ, ઇન્દ્ર અને નિશાકર છે, તમે જ અન. ઘમ, પથિવી,વિશ્વ, આકાશ અને અશ્રુતછો. હે વિશ્વેશ્વર, વિશ્વાત્મા, વિશ્વકર્મનાં કરનાર તમને નમરકાર તમેજ વિશ્વનાં આયુ છો, કીડારત પ્રભુ છો, શાંતાત્મા તમને નમસકાર, ગુટતમ તમને નમસ્કાર, અગિ, અપ્રમેય, અનાદિનિધનાય તમને નમસ્કાર -૩૮ ઉપ.માં દરેક બાબતો પ્રશ્નોત્તર દ્વારા જ રજૂ થાય છે. આ માટે પ્રયોજાતી સંવાદમય શૈલી અત્યંત રોચક અને જિજ્ઞાસા જાગૃત કરે છે. શ્વેતકેતુ-ઉદાલક સંવાદ, રાજા પ્રવાહણ અને ઋષિઓનો સંવાદ, રાજા જાનશ્રુતિ -- પૌત્રાયણ–રક્વ ઋષિનો સંવાદ, સનકુમાર-નારદ, દન-પ્રજાપતિ, શુકદેવજી– વ્યાસ-જનક, દત્તાત્રેય-મુનિસાંકૃતિ, વગેરે સંવાદો અત્યંત શ્રેષ્ઠ છે. . (૨) નિર્વચન-વ્યુત્પત્તિ : ભારતવર્ષમાં નિર્વચન-વ્યુત્પત્તિ શાસ્ત્રનો પ્રારંભ વેદકાળથી થયેલ છે. ઋગ્રેદમાં પણ અમુક રાબ્દ કેવી રીતે ઉત્પન્ન થયો–નિષ્પન થયો તેની ચર્ચા છે. જ્યારે પ્રોફે. મેન્ડને શબ્દોનાં નિર્વચનનો [, huથમ પ્રયાસ બ્રાહ્મણગ્રંથોથી થયેલ માને છે. બ્રાહ્મણ ગ્રન્થોની જેમ ઉપનિષદોમાં પણ નિર્વચનઆ યુત્પત્તિ જોઈ શકાય છે. ઉપ.નાં ઋષિઓ શબ્દને-શબ્દનો અર્થને સ્પષ્ટ કરવા નિર્વચન~વ્યુત્પત્તિ આપે છે. નિક્તકાર યાસ્ક પોતાના નિરુક્તમાં શાક્ટાયન, વાગ્યે, ઔપચવ, ઔદુમ્બરાયણ વગેરેનો આ મોલ્લેખ કરે છે. તે નિર્વચન~વ્યુત્પત્તિની ચર્ચા અત્યંત પ્રાચીન સમયથી ચાલે છે તે દર્શાવે છે. ૪૫૬ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy