SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org કર્મમાં ભાવ પણ્ અત્યંત મહત્ત્વનો છે. શુભકર્મ દુષ્ટભાવથી કરવામાં આવે તો તે અશુભ જ ગણાય. તેથી જ જા. દ. ઉપજણાવે છે કે; કર્મમાં "ભાવ" જ વિશેષ મહત્ત્વો છે. કાન્ટનાં મતે કોઈપણ કાર્ય ત્યાં સુધી શુભ નથી કે જ્યાં સુધી તેનાં મૂળમાં શુભ ઈચ્છા" સમાયેલી ન હોય. તેઓ આ શુભ ઈચ્છાના મૂળમાં બુદ્ધિનો સ્વીકાર કરે છે. કર્તવ્ય બુદ્ધિથી કરેલ કાર્યનું નૈતિક મૂલ્ય તેનાંથી પ્રાપ્તઉદ્દેશ્યમાં નહીં, પરંતુ તે તેના ભાવમાં છે. જેનાં દ્વારા તે નિશ્ચિત થાય છે. છા. ઉપ. સત્ત્વ-રજ–તન એન ગુણને આધારે કર્મનાં પ્રકાર પાડે છે. તેમજ આ દરેક કર્મ એક્બીજાને બળવત્તર બનાવે છે. અર્થાત્ એક સાથે આચરણ કરવાથી જ તે સિદ્ધિ આપે છે. ઉદા. આપતાં જણાવે છે કે, જેવી રીતે અગ્નિ ઉત્પન્ન કરવા માટે પન્થન વાસણ, અરણ સરણ, દોરી દઢ રીતે ગ્રહણ કરવી – એમ બળયુક્ત કર્મની વાત કરેલ છે. અન્ય જગ્યાએ મન્ત્રયુક્ત કર્મની રજૂઆત છે. તો સંકલ્પ માત્રથી કર્તવ્ય સિદ્ધિની રજૂઆત પણ છે. આમ "કર્મા"િ શબ્દ દ્વારા મન્ત્ર કર્મનો નિર્દેશ છે. કારણ કે ફરી ફરીને જે મનન પૂર્વક મન્ત્રનું અધ્યયન કરે છે અને કર્મ કરે છે તેને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કારણ કે મત્રને આધીન કર્મ છે. અને કર્મમાં આત્માની સત્તા છે. અહીં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે; કર્મ સિદ્ધિ માટે વારંવાર યોગ્ય દિશામાં વિચાર અને નં આધારે કરવામાં આવતુ કર્મ n નિષ્કામ કર્મ : Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન્મુક્તિ પ્રાપ્ત થાય પછી પણ વ્યક્તિએ કર્મરત રહેવું જ પડે છે. જ્ઞાન પ્રાપ્તિ બાદ યજ્ઞ માટે તથા લોકસંગ્રહ માટે કર્મ કરવા જ પડે છે. તેથી જ ભગવાન સર્વકર્મફળનો ત્યાગ કરવાનું કહે છે. કર્મનો નહીં. તેથી જ જ્ઞાનીએ યજ્ઞ, દાન, તપ વગેરે કર્મ કયારેય ન ત્યજવા જોઈએ; કારણ કે તે તો પાવન કરનારા છે.” કર્તવ્યકર્મમાં ફળો ત્યાગ કરીને હંમેશાં તેનું આચરણ કરવું જોઈએ. ઉપનિષદોને પણ કમ, તપ વગેરે સાથે વિરોધ નથી; વાસ્તવમાં ઉપનિષદ્ વિદ્યા તો કર્મ, તપ, દમને આધારે જ ટકેલી છે." ચારે વેદ આ ઉપ. વિદ્યાનાં સર્વ અંગો અને અવયવ છે અને સત્ય તેનું આયતન છે. ... 1 છા, ઉપ, પણ જેને 'નજ્જલા રૂપી બ્રહ્મનું જ્ઞાન યઈ ગયું હોય તેણે પણ યજ્ઞમય કર્મ કરવા જ જોઈ તેમ જણાવે છે. કારણ કે ધર્મનાં ત્રણ આધાર સ્થાનાં છે. યજ્ઞ, અધ્યયન અને દાન. આ જ પ.માં વિદ્વાને કર્મ અવશ્ય કરવા જોઈએ. આ નિષ્કામ કર્મનો જ નિર્દેશ કરે છે. ધીર પુરુષે યજ્ઞોરૂપી કર્મો અવશ્ય કરવા જોઈએ. ૪ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy