SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. કરી શકાય છે, તેવી જ રીતે સોળકલાઓમાંથી એક કલા બાકી રહી ગઈ હતી, તે અન્ન દ્વારા વધીને ફરી પ્રજ્વલિત થઈ ગઈ. તેનાંથી તું ફરીથી વેદ વગેરે જાણવા લાગ્યો. તેથી સિદ્ધ થાય છે કે; મન અન્નનું કાર્ય છે, પ્રાણ જળનું અને વાણી તેજનું કાર્ય છે.કે Acharya Shri Kailassagarsuri Gyanmandir મહો. ૯૫. જણાવે છે કે; અગ્નિનો ધર્મ ઉષ્ણતા છે, તેમ મનનો ધર્મ રાંચલના છે. ોથી બધી જગ્યાએ ચાલ મન જ દૃષ્ટિગોચર થાય છે. આ શક્તિને(ચંચલતાની શક્તિને વિશ્વ પ્રપંચનું જ રૂપ માનવું જોઈએ ચંચલતા વગરનું મન જ તપ, અમૃત સ્વરૂપ છે, શાસ્ત્ર તેને જ મોક્ષ કહે છે. મનની ચંચલતા જ અવિધા છે, વાસના તેનું લક્ષણ છે. વાસના જ શત્રુ સમાન છે.વિચારવાનું પુરુષોનું કર્તવ્ય છે કે તે વાસનાને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે. કોઈપણ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ ત્યાં મનને લગાવવું પડે છે; પરંતુ તે માટે ર્વિકલ્પ સમાધિ જરૂરી છે. નિર્વિકલ્પ સમાધિ દ્વારા ચિત્તને ચિત્ત દ્વારા વીભૂત કરો; કારણ કે; વિકાર રહિત મન દ્વારા જ મનને વશીભૂત જીતી(કરી) શકાય છે. આમ રનનું મહત્ત્વ છે, તેથી મન હારા જે કાંઈ અનુભવ થાય, તેને ચિત્તમાં રમવા ન દેવું જોઈએ, કારણ કે શુદ્ધ મન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે.ઃ મનની—ચિત્તની ચંચલતાને શાંત કરવા માટે બહ્ય સર્વ સ્વરૂપ, ચિદાકાશ સ્વરૂપ, અખંડિત તથા એક છે, તેવી ભાવના કરવી જોઈએ. આ વિશ્વની અન્ય કોઈ કારણમાંથી ઉત્પત્તિ થયેલ નથી, ચિન્માત્ર સિવાય કશું જ નથી, તેવી ભાવના કરતાં-કરતાં સંશય રહિત થઈને ચિન્માત્રનું જ દર્શન કરવું જોઈએ ૧૦ મન—ચિત્ત જ બંધન અને મોક્ષનું કારણ છે. જેનું મન શાંત યઈ જાય છે, તેની મેધા પ્રવૃદ્ધ બને છે જેના મનની વૃત્તિઓ નષ્ટ થઈ ગઈ છે, વેદાન્તના અભ્યાસમાં રત છે, હેય અને ઉપાય બન્ને પદાર્થોનો ત્યાગ કરીને પરમતત્ત્વનાં ચિંતનમાં લાગેલું રહે છે, તેને મોક્ષપદ પ્રાપ્ત થાય છે." ગીતા પણ મનને જ મનુષ્યોના બંધન અને મોક્ષ માટે કારણભૂત માને છે. R મન મોક્ષ માર્ગે આગળ વધે છે, ત્યારે તેને ઐશ્વર્યમય પદાર્થો પ્રાપ્ત થાય છે, પરંતુ સમજુ મનુષ્ય, તેને આશ્ચર્ય ચકિત નજરે જોઈને, અલ્પે ઉપભોગને જ ખૂબ સમજી, આ બંધનકારક છે તેવું વિચારી, છોડીને આગળ જાય છે, કારણ કે આ વિશ્વરૂપ સાચરને જીવા માટે મન વશ ન થાય ત્યાં સુધી જ તેનામાં વાસના વગેરે દોષો રહેલાં હોય છે, પરંતુ વશ થયેલું મન, મૃત્યુ, મંત્રી, માતા પિતા વગેરેની જેમ મનુષ્યનાં પોતાનાં હિતમાં કાર્ય કરે છે તેથી મનરૂપી મણીને વિવેકરૂપી જળથી સ્વચ્છ કરવાથી જ ૨૭૫ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy