SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપનિષદો માયાવાદનું સમર્થન કરે છે તેનો અર્થ એટલો જ છે કે જગતુના બાહ્ય દેખાવોની તો એક તત્ત્વપડેલું છે, અને તેની અંદર ના ઈશ્વરથી માંડીને તારના થાંભલા સુધીના સર્વ પદાર્થો સમાવેશ થઈ જાય છે. શ્રીમદ્ શંકરાચાર્ય કહે છે કે, “એ આત્મા બ્રહ્મયી સ્તબ સુધીના રાવે સચેત પ્રાણીઓના હદયમાં વસે છે. જીવદશાની ચડતી ઉતરતી જુદી જુદી પાયરીઓ બધી એક અદ્વિતીય એવા બ્રહ્મરૂપી તેજો રાશિના અંશો કે રફુલિંગ છે. વિજ્ઞાનની કક્ષાએ ખુદ બ્રહ્મના સ્વરૂપમાં સ્વાગત ભેદ રહે છે. આ ભેદનું નામ 'માયાં છે. તે બ્રહ્મને પોતાનો વિકાસ કરવા પ્રેરે છે. જગતના જુદા જુદા પદાર્થો છે અને નથી, તેમની હરતી એ બે ની વચ્ચે છે. બહ્મની સંપૂર્ણતા I એક ને અદ્વિતીય એવા સત. તત્ત્વની અમર્યાદ પૂર્ણત્વના, ગજથી માપી જતાં, દુઃખ અને ફાટફૂટથી ભરેલું નાનાત્વ અથતુ અનેકતાવાળું જગત ઓછું સત્ય કરે છે. ૨ છા, ઉપ. દર્શાવે છે, કે અસત્યનું આવરણ પરમ સત્યને અમારાથી છુપાવેલું રાખે છે, જેમ માટી પોતાની નીચે મહાન ખજાનાને છુપાવીને રહેલી છે. -- : " , મૂલ બીજ શક્તિમાં અનેક નામ, રૂપ અને કર્મના સંસ્કારો ગૂઢ હોય છે, અને વ્યાકૃત થવાના પ્રસંગે તે નામરૂપકર્મના શુદ્ધ અને અશુદ્ધ એવા બે બૃહ પડે છે. એક લૂહને શુદ્ધ રાવા માવા કહે છે, અને બીજા લૂહને અશુદ્ધ સત્તા માયા કહે છે. પ્રથમ પ્રકારની શકિતને વિધા કહે છે, બીજા પ્રકારની શક્તિને અવિધા કહે છે. વિધાલૂહનાં નામરૂપ અને કર્મો ઈશ્વર ચેતનનાં અભિવ્યંજક બને છે; અવિદ્યાબૂહના નામરૂપ કર્મો જીવ ચેતનનાં અભિવ્યક બને છે. અવિદ્યા અને તેનાં પરિણામોની બાધ વિદ્યા અને તેનાં પરિણામો કરે છે. ઉપાસનાં વિદ્યાશક્તિને અને તેનાં પરિણામોને ખીલવે છે. લૌકિક અવિધા પક્ષપાતી છે જયારે શાસ્ત્રીયકર્મ અવિંચા બૂડમાં છતાં વિદ્યા પક્ષપાતી છે." ન. દ. મહેતાના મતે વિદ્યાશક્તિનો સર્વોત્તમવિકાસશબલ બ્રહ્મ એટલે પરમેશ્વરમાં છે. બ્રહ્માદિ ગુણમૂર્તિઓમાં તેથી ઓછો હોય છેદેવ વર્ગમાં તેથી ઓછો હોય, મનુષ્ય યોનિમાં વધા-અવિધાનું સંમિશ્રણ હોય છે. ઈશાવાસ્યો.માં વિદ્યા-અવિધા એમ સ્પષ્ટ નિર્દેશ છે. ત્યાં વિધા એટલે જ્ઞાન અને અવિધા એટલે અજ્ઞાન એવો અર્થ નથી. એ ખોટો અર્થ છે. શ્રીમદ્ શં.ની દષ્ટિએ વિધા એ જ્ઞાન નથી. જેમ કેટલાક લોકોને બ્રહ્મ અંગેના વિવિધ શ્રુતિ વચનોની સમજ હોય પરંતુ બ્રહ્મનો અનુભવ ન હોય તો એ શાસ્ત્રજ્ઞાનવિદ્યા કહેવાય, જ્ઞાન નહિ. અહીં બ્રહ્મજ્ઞાનનો મહિમા દર્શાવ્યો છે.ઈશો. કર્મમાર્ગની મહત્તા દર્શાવે છે. વેદોમાં નિર્દિષ્ટ નહોત્રાદિ કર્મ અને અવિદા ગણી અહીં સમજાવાયું છે કે માન કર્મ ૨૪૭ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy