SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુપુરાણમાં પણ છે. આ ચર્ચામાં તેઓ જણાવે છે કે 100 વર્ષમાં ત્રણ પેઢી લઈએ તો યાજ્ઞવલ્કયનાં સમય ૫૦૦ પૂર્વ માની શકાય. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુથી મૃત્યુ પામેલા રઘુવંશીય બૃહબાલ શ્રીરામથી ૩૧ પેઢી પછી થયેલા છે. મહાભારતના યુદ્ધથી ૧૦૩૩ વર્ષ પહેલાં શ્રીરામનો સમય અને તેનાંથી પ00 વર્ષ પહેલાં દેવરાત જનકનો સમય આવે છે. તેથી આજે ૧૫:૩૩ + ૫૧00 = ૩૩ વર્ષ પહેલાનો સમય યાજ્ઞવલ્કયના શતપથ પ્રવચનનો સમય આવે, શ્રી શ્રીધર શાસ્ત્રી યાજ્ઞવલ્કયનો સમય ૬000 વર્ષ પહેલાંનો માને છે. આ જ સંદર્ભમાં તેઓશ્રી ઉદ્દાલક–આણી, અષ્ટાવક્ર ઋષિ, સત્યકામ જાબાલ વગેરેને આધારે ૬૦૦ વર્ષ પૂર્વનો સમય યાજ્ઞવલકયનો ગણે છે. જયારે ૫, ભગવદત્ત આ દેવરાત જનકને સરધ્વજ જનકથી અનેક પેઢી પૂર્વે ન માનતા મહાભારતની નજીકનો જ સમય ગણે છે અને દેવાત જનકને અન્ય કોઈ જનક માને છે, જેનો સમય મહાભારતથી પૂર્વ ૧૫૦ વર્ષની આસપાસનો છે. પોતાના આધાર માટે તેઓશ્રી યુધિષ્ઠિર–ભિષ્મ વસ્ત્રોનાં સંવાદમાં ભીષ્મ "આ જ્ઞાન મે જનક પાસેથી, જનકે યાજ્ઞવલ્કય પાસેથી જાણ્યું. સાથો સાથ તેઓશ્રી શતપથ બ્રાહ્મણમાં રહેલાં વેશમ્પાયન શિષ્ય ચરકોનો પણ ઉલ્લેખ આપે છે. ત્યારબાદ યુધિષ્ઠિરનો અશ્વમેઘ યજ્ઞ, પછી અમુક વિદ્વાનો શુનઃશેપ ઉપાખ્યાનમાં વિશ્વામિત્ર શુનઃશપને બલિ થવાથી બચાવીને પોતાના કૃતક પુત્ર તરીકે રાખે છે અને તેને દેવરાત નામ આપે છે. તે દેવરાતનો પુત્ર તેયાજ્ઞવલ્ક. કોઈપણ કથા લઈ તેમાં યાજ્ઞવલ્કયનો વિશ્વામિત્રથી સંબંધ તેઓને દશરથ રામની પહેલાં સિદ્ધ કરે છે. આપણે જાણીએ છીએ કે હનુમાનજી, સહદેવ વગેરે રામાયણના પાત્રોનાં ઉલેખો મહાભારતમાં છે. આમ પરસ્પર વિરોધી અનેક પ્રમાણોને આધારે તેઓ યાજ્ઞવલ્કયને મહાભારતના સમયમાં લાવીને સમાધાન સાધવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ દ્વૈપાયનના શાખા વિસ્તારને માન્ય કરીને તેનાથી આગળ ઉપનિષદ કાળ નથી તેમ માનવું તર્કસંગત નથી. કારણ કે શ્રીપાદ દામોદર સાતવળેકરજી વગેરે વેદ સંહિતા વગેરે સંપાદિત કરી અલગ નામથી પ્રસિદ્ધ કરે તો તેથી તેના પૂર્વનો સમય ન હોય તે માનવું યોગ્ય નથી તેમ વ્યાસજીએ કરેલા શાખા વિસ્તાર પહેલાં ઉપનિષદનો સમય ન મૂકવા માટે કોઈ આધારભૂત પ્રમાણ નથી તેમ જણાવી તેઓશ્રી ઉપનિષદો મહાભારત કાળથી પ્રાચીન અને મહાભારતના સમયમાં પણ મૂકે છે. છા, ઉપનિષદમાંકર દેવકીપુત્ર કૃષ્ણનો ઉલ્લેખ છે. દેવકીપુત્ર કૃષ્ણ મહાભારતના સમયમાં થઈ ગયા. તેથી તેમણે આપેલા વ્યાખ્યાનનો સમય મહાભારતનો છે. પરંતુ છન્ટોમોની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આગળ જે ઉદ્દાલક આરુણિ કઠો.ના છે તેનો પુત્ર નચિકેતા છે. પરંતુ છા, બ્રહ, For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy