SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org "માયા શાશ્વત શક્તિ છે. કેમ કે તે ઈશ્વર સાથે જોડાયેલી છે પણ અવિધા અશાશ્વત છે. વિદ્યાનો ઉદય થતાં અવિદ્યા નાશ પામે છે પણ માયા તો રહે છે. આથી જ માને વસ્તુગત અને અવિધાને વ્યક્તિગત ગણવામાં આવી છે." વિશેષમાં પ્રા. વે જણાવે છે કે-- "એકત્વ શોધ માટેનો પ્રયાસ એ અનેકસ્વરૂપી જગતનો ઈન્કાર સૂચવતો નથી. સત્યની નિમ્ન કક્ષાએ જગત છે અને ઊર્ધ્વ કક્ષાએ બ્રહ્મ છે, ઊર્ધ્વમાં આરોહણ અર્થે નિનની મર્યાદાઓ છોડવી જ પડે. આ જ માયા ને અભિપ્રેત ઉપનિષદોનું વલણ છે.’’ Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મ જ જગત્ સ્વરૂપે માયાથી પરિવર્તિત થાય છે; અર્થાત્ અક્ષમાંથી જ સૃષ્ટિ—બ્રહ્મ જ સૃષ્ટિરૂપે આવે છે. ૭ T આ સંપુર્ણ વિશ્વ સૃષ્ટિ સર્વ શક્તિમાન મહાન બ્રહ્મનાં મનોવિલાસ જ માત્ર છે. તેનું અધિષ્ઠાન અનુપમ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ તઘા અવ્યય સ્વરૂપ છે. આ સંસાર સૃષ્ટિ વાસ્તવિક નથી, પરંતુ આભાસરૂપ છે. જ્ઞાન ષ્ટિ પ્રાપ્ત થતાં તે દૂર થાય છે. ૯ નિરંજન બ્રહ્મમાંથી સ્વયંજ્યોતિરૂપ પરાશકિત ઉત્પન્ન થઈ; આત્મામાંથી આકાશની ઉત્પત્તિ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આ પંચ મહાભૂતોના સ્વામી સદાશિવ, ઈશ્વર, રુદ્ર, વિષ્ણુ અને બ્રહ્મા છે, તેમાં બ્રહ્મા ઉત્પત્તિ, વિષ્ણુ સ્થિતિ અને રુદ્ર નાશ કરવા માટે પ h છા.ઉપ.માં સનત્કુમાર જણાવે છે કે- આત્મા જ બધી વસ્તુઓનું ઉદ્ગમ કારણ છે. આત્મામાંથી જ આશા અને સ્મૃતિનો તેમજ આકાશ-પ્રકાશ અનેજળનો ઉદ્ભવ થાય છે; આત્મામાંથી બધી વરત્નો હૃદય થાય છે અને તેમાંજ લય યાય છે. આત્મા જ સંપૂર્ણ જ્ઞાન, શક્તિ અને આનંદનું ઉદ્ગમ સ્થાન છે.પણ તે શું ખર ને મહા ઉપ. જણાવે છે કે– શરૂઆતમાં નારાયણ એકલાં જ હતાં, બ્રહ્મા વગેરે કશું જ ન હતું. તેથી તેઓએ અંતઃસ્થ સંકલ્પરૂપ ધ્યાન કરી ગૌદ પુરુષ અને એક કન્યાનું સર્જન કર્યું. ને ચૌદ પુરુષ એટલે દસ ઈન્દ્રિયો, મન, અહંકાર, પ્રાણ અને આત્મા તેમજ તેનાંથી અલગ બુદ્ધિરૂપી કન્યા. ત્યારબાદ આ પંદર તત્ત્વોથી ભિન્ત સૂક્ષ્મ પંચ ત ભાત્રાઓ અને પંચમહાભૂત ઉત્પન્ન થયા. આ પચ્ચીસ તત્ત્વોમાંથી એક વિરાટ્ પુરુષ બન્યો અને તેમાં વેરાટ્ પુરુષ પ્રવિષ્ટ થયો. અહીં સાંખ્યની અસર જોઈશકાય છે. સાંખ્યશાસ્ત્રમાં પણ પીસ તત્ત્વોની વાત છે. શરૂઆતમાં સાંખ્ય નિરીશ્વરવાદી હતું; પરંતુ પાછળથી તેમણે ઈશ્વરનો સ્વીકાર કરેલ છે અને એ રીતે 'ર' તત્ત્વો ૨૩૦ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy