SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવાનું કામ પ્રાણાયામ કરે છે. તેથી જ યોગચૂડામણિ ઉ૫.15 કહે છે કે- "પ્રાણાયામનાં અગ્નિ પાપરૂપી ઇંધણને બાળી નાખે છે અને સંસાર સાગરને પાર કરવાનો માર્ગ બનાવે છે." ઈડા(ડાબી નાસિકા) દારાવાયુને ધીરે ધીરે ઉદરમાં ભરી ત્યાં સોળ માત્રા યુક્ત '' કારનું ધ્યાન ધરવું, ત્યારબાદ ઉદરમાં ભરેલી વાયુને થોડોક સમય ધારણ કરી રાખી, ત્યાં ચૌસઠ માત્રા યુક્તકારનું ધ્યાન કરતાં-કરતાં પ્રણવનો જપ કરવો. જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી વાયુને ઉદરમાં ધારણ કરેલા રાખવો. ત્યારબાદ બત્રીસ માત્રામય 'Hકારનાં ધ્યાનપૂર્વક વાયુને ધીમે-ધીમે બહાર કાઢવો. આ એક પ્રાણાયામ કહેવાય. પૂ. ગુરુદેવની દૃષ્ટિએ જે નાસાપુરથી પૂરક લેવો હોય કમપૂર્વક તે જ પાસાપુટથી રેચક થાય ત્યારે એક પ્રાણાયામ થયો કહેવાય. આ જ બાબત શ્રી જા. દ. ઉપ.૪૧ જણાવતાં કહે છે કેઈડા દ્વારા વાયુને ગ્રહણ કરેલ હોય ત્યારે પિંગલા દ્વારા અને પિંગલા દ્વારા વાયુને ગ્રહણ કરેલ હોય ત્યારે ઈડા દ્વારા વાયુને ધીમે ધીમે બહાર કાઢવે. એ રીતે પ્રાણાયામનો અભ્યાસ દરરોજ કરવો. પ્રાણાયામ કરતાં કરતાં ચંદ્રનાડીથી વાયુ અંદર લેતા હોઈએ ત્યારે નાભિમાં શ્રી વિષ્ણુનું અથવા ચંદ્રનું ધ્યાન ધરવું, મૂલબંધ રાખવો, પછી જાલંધર બંધ કરી શરીરના સર્વ અવયવોને અચલ ધારણ કરી નાસિકાનાં બન્ને છિદ્રને રોકી ચોસઠ માત્રા સુધી પવનને દવમાં રૂંધવો, ત્યારે શ્રી બ્રહ્માનું અથવા અનિનું ધ્યાન ધરવું, ત્યારબાદ ઉફીયાન બંધ કરી ધીમે-ધીમે બત્રીશમાત્રા સુધી ઉદરગત સર્વ પ્રાણવાયુને સૂર્યનાડીથી ધીરે ધીરે બહાર કાઢવો. આ સમયે લલાટમાં શ્રી મહાદેવનું અથવા સૂર્યનું ધ્યાન ધરવું, આ સમયે ડાબા નસકોરાને જમણા હાથની અનામિકા અને કનિષ્ઠિકાથી બંધ રાખવું ઈડા(ડાબી) બાજુની નાડીથી વાયુ ગ્રહણ કરી, જમણી બાજુથી રંક કરવાં, પિંગલા(જમણી) બાજુથી વાયુ લઈ ડાબી બાજુથી રેચક કરવો. આ પ્રાણાયામ હૃદયમાં સ્થિત સૂર્ય ભગવાનનું ધ્યાન કરતાં-કરતાં કરવો. આ રીતે બે માસ અભ્યાસ કરવાથી નાડી શુદ્ધ થાય છે. 15 ગાયના દૂધ રમાન ધવલ ચંદ્રમાનું ધ્યાન ધરતા-ધરતા પણ પ્રાણાયામ કરી શકાય, પ્રક, રેચક, કુંભક ક્રિયાને સમજાવતાં જણાવે છે કે- વાયુને ઉદરમાં નર ને ક્રિયા પૂરક છે, ધારણ કરવો તે કુમક છે અને બાર ફેકવા રેચક છે. ૧૪૪ બાર માત્રાના પૂરક, સોળ માત્રાનો કુંભક અને દસ માત્રાનો રેચક કરવો જોઈએ. તે પ્રાણાયામ કહેવાય છે. ૧૫ દ્વાદશ માત્રાનો પ્રાણાયામ કનિષ્ઠ છે, તેનાથી બે ગણી માત્રાવાળાં મધ્યમ અને શણગણી ૯૮ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy