________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાણ પામેલા. ચાલો ! તે સહુને અનંત વંદન કરીએ.
રાજગૃહીથી વિહાર કરીને, ૧૫ કિ.મી. ચાલીને આપણે પાવાપુરી પહોંચવાનું છે. ચાલો ! ચાલો ! ઝટપટ ચાલો ! (સંગીત : મ્યુઝિક...)
લો... આપણે પાવાપુરીની પુણ્યભૂમિ ઉપર આવી ઊભા છીએ. આ જુઓ આપણો સંઘ જલમંદિરના દ્વારે આવી ઊભો છે. જય જય શ્રી મહાવીર ! ત્રિશલાનંદન વીર કી ! જય બોલો મહાવીર કી ! (વીરધૂન)
જુઓ ! મહાવીરનું નામ પણ મનમાં કેવી અજબ મીઠાશ અને તનમાં ગજબનું જોશ ભરી દે છે !
અહો આ જળમંદિરનો દ00 ફુટ લાંબો પુલ જુઓ. આ જળમંદિરની આસપાસના વિશાળ જળરાશિમાં વિકસિત બનેલાં અસંખ્ય કમળો જુઓ ! એ કમળપત્રો પર પડતાં જળબિંદુઓ ! અરે ! ક્યાંક કમળપત્રો પર સર્પો સૂતેલા પણ દેખાય છે. વાતાવરણ કેવું રળિયામણું લાગે છે મંદ મંદ મીઠો મીઠો પવન... પૂલ પર દોડતા યાત્રિકો ! આહાહા ! કેવું સરસ લાગે છે, આ રમણીય દૃશ્ય ! રોમરાજી કેવી વિકસ્વર બની જાય છે; નહીં ?
-(૨૮)
For Private and Personal Use Only