________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) લાંબાકાળે શબ્દનો અસ્પષ્ટબોધ થાય તે અક્ષિકગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) આ વાજિંત્રોનો અવાજ હોવો જોઈએ, મેઘગર્જના ન હોય. એવું લાંબાકાળે વિચારી શકે તે અક્ષિકગ્રાહિણી ઈહા કહેવાય. (૪) આ વાજિંત્રોનો જ અવાજ છે, મેઘગર્જના નથી. એવો લાંબાકાળે નિર્ણય કરે તે અક્ષિકગ્રાહી અપાય કહેવાય. (૫) એ અવાજનાં સંસ્કાર લાંબાકાળે મગજમાં જામ થાય તે અક્ષિકગ્રાહિણી ધારણા કહેવાય. (૭) નિશ્રિતગ્રાહી - નિશ્ચિત લિંગ-ચિત. જે વ્યક્તિ અમુક ચિહ્નકનિશાની દ્વારા અમુક વસ્તુને જાણી શકે તે નિશ્રિતગ્રાહી કહેવાય. દા. ત. જૈન ધર્મના મંત્રોચ્ચાર સંભળાય છે. માટે જિનાલય હોવું જોઈએ. વિશિષ્ટ મંત્રોચ્ચાર એ લિંગ છે. અને જિનાલય એ લિંગી છે. વિશિષ્ટ મંત્રોચ્ચારરૂપ લિંગ દ્વારા જિનાલયનું જ્ઞાન થવું તે નિશ્રિતગ્રાહી શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાન કહેવાય. તે પાંચ પ્રકારે છે. (૧) વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા જિનાલયનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તો
નિશ્રિતગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા જિનાલયનો જે અસ્પષ્ટબોધ થાય તે
નિશ્રિતગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) જેનધર્મનાં મંત્રોચ્ચાર સંભળાય છે. હિન્દુધર્મનાં મંત્રોચ્ચારનથી માટે
જિનાલય હોવું જોઈએ. આવી વિચારણાવાળું જે જ્ઞાન તે નિશ્રિતગ્રાહિણી
ઈહા કહેવાય. (૪) જૈનધર્મનાં જ મંત્રોચ્ચાર છે, માટે જિનાલય છે. મંદિર નથી એવો જે
નિર્ણય તે નિશ્રિતગ્રાહી અપાય કહેવાય. (૫) આવા પ્રકારનો મંત્રોચ્ચાર જિનાલયમાં જ થઈ શકે છે. એવુ વંર્ષો સુધી
યાદ રાખવું તે નિશ્ચિતગાહિણી ધારણા કહેવાય. (૮) અનિશ્રિતગ્રાહી
તીવ્રબુદ્ધિશાળી માણવિશિષ્ટ મંત્રોચ્ચારાદિ લિંગ વિના જ જિનાલયને ઓળખી લે તે અનિશ્રિતગ્રાહી કહેવાય. તે પાંચ પ્રકારે છે. (૧) વિશિષ્ટ મંત્રોચ્ચારરૂપલિંગ વિના જ જિનાલયનો જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય તે અનિશ્રિતગ્રાહી વ્યંજનાગ્રહ કહેવાય.
૬૮.
For Private and Personal Use Only